કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ બે દિવસે ગુજરાત મુલાકાતે છે. અને વિવિધા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતૂમુર્હત કરી રહ્યા છે. આજે પ્રવાસના બીજા દિવસે અમદાવાદ ખાતે ગૃહમંત્રી અમિતશાહ પહોંચ્યા હતા જયા તેમણે પશ્રિમ અમદાવાદીઓને મોટી ભેટ આપી છે. ચાંદલોડિયા, ઉમાભવાની,ત્રાગડ, ખોડિયાર ડિકેબિન સહિત 4 અંડર પાસનો ખાતુમુર્હત કર્યુ છે 33 કરોડથી પણ વધુના ખર્ચે વિકાસલક્ષી કામોનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યુ છે હવે ચાંદલોડિયાથી કન્યાકુમારી પણ લોકો ટિકિટ લઇ સીધા જઇ શક્શે 3 વર્ષમાં 10થી વધુ અંડરપાસ બનાવ્યા.
જે અડંરપાસ બનાવાથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને સમયપણ બચશે તેમની સરકારે કરેલા કામોની પ્રશંશા કરતા જણાવ્યુ હતુ કે દેશમાં કયાંક બી આર ટી એસ સફળ નથી થઇ એ આપણાં અમદાવાદમાં સફળ થઇ તેમજ હવે પશિમ અમદાવાદીઓને કાલપુરા રેલ્વે સ્ટેશન સુધી ધક્કા ખાવા નહી પડે ચાંદલોડિયા ખાતેથી ટિકિટ મળી રહેશે જેની સાથે લોકોનો સમય અને બળતણ બચશે સાથે-સાથ આ સુવિધા પશ્રિમ અમદાવાદીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.