કોઈને કોઈ વાતને લઈને રાધેમાં ચર્ચામાં તેમજ વિવાદોમાં રહે છે. તેમની લાઈફ સ્ટાઈલ, તેમના નિવેદનથી સતત વિવાદો સર્જાતા રહે છે. અા વખતે ચર્ચાનું કંઈક અલગ જ કારણ છે. વાત જાણે કે એમ છે કે રાધેમાં એ અા વખતે સુવર્ણ મંદિરમાં 20 લાખના સોનાનાં વાસણો ભેટ ધર્યા છે જેના કારણે તેઓ ફરી એક વાર ચર્ચામાં છે.
પ્રાપ્ત માહિતીના અાધારે રાધેમા સુવર્ણ મંદિરમાં લંગરની સેવા માટે 12,000 થાળી, 10,000 ગ્લાસ અને 10,000 ચમચીઓ ભેટ ધરી હતી રાધે માએ કહ્યું કે હવે ભક્તા નવા વાસણમાં પ્રશાદ અારોગશે જેના માટે હું ખુશ છું.
પોતાને ધર્મગુરુ કહેનાર રાધે માતા વર્ષ 2015માં વિવાદોમાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમના ઉપર એક મોડલે ધર્મના આડમાં સેક્સ રેકેટ ચલાવવાની ફરિયાદ કરવામાં આવી હતી.તેણે કહ્યું હતું કે માતાએ તેના ઘરવાળાઓને દહેજ માટે ભડકાવ્યા હતા. રાધેમાંના કહેવાથી જ શારીરિક, માનસિક તકલીફો મળી હતી.