સમગ્ર વિશ્વમાં કોંક્રિટ જંગલો ઝડપથી વધી રહ્યા છે. ઝડપથી વિકસતા શહેરોને કારણે જંગલ કપાઈ રહ્યાં છે.વર્તમાન ડેટા વિશે વાત કરીએ તો દેશના ઘણા મોટા શહેરોમાં હરિયાળીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.માત્ર ભારતમાં જ નહી જંગલોનો વિશ્વમા ઘટાડો થયો છે, અને આનું સૌથી મોટું કારણ ઔદ્યોગિક અને શહેરી વિકાસ છે.
21 માર્ચના રોજ, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવણી કરવામાં આવે છે.દેશથી લઈ વિદેશોમાં જંગલોની પરિસ્થિતિ ચર્ચા કરવામાં આવી રહી છે.જંગલના વધારવા માટે ફરી એક વાર વિશ્વમાં ચર્ચા કરવામાં આવી રહી છે.પરંતુ હજુ પણ જંગલ ઝડપથી કાપવામાં અાવી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રો, વિશ્વની નવી દિશા અને સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે “જંગલ અને ગ્રીન સિટી” નું થીમ રાખ્યું છે.વિશ્વમાં વધતા શહેરીકરણને કારણે, 51 ટકા ઝાડમાં ઘટાડો થયો છે, જ્યારે 2016ના આંકડા દર્શાવે છે કે 7.3 મિલિયન એકર જમીનથી વૃક્ષોનો નાશ થયો છે.આ આંકડો 2015 કરતાં 50 ટકા વધારે છે.
જંગલો માત્ર ઓક્સિજનનું સૌથી મોટો સ્ત્રોત નથી પણ પૃથ્વીનું તાપમાન નિયંત્રણ કરે છે.જંગલો માત્ર વાદળોને આકર્ષિત કરતા નથી.ઊલટાનું, તે ભૂમિમાં ભેજ જાળવવામાં મદદ કરે છે.આંકડા અનુસાર, વિશ્વના એક તૃતીયાંશ ભાગ જંગલોથી ઘેરાયેલા છે, પરંતુ ભારતમાં તે કુલ જમીનના 22 ટકાથી પણ ઓછું છે.ભારતમાં માત્ર 0.1 હેકટર જંગલ પ્રતિ વ્યક્તિ છે, જ્યારે વિશ્વમાં સરેરાશ 1.0 હેકટેરીયા જંગલ પ્રતિ વ્યક્તિ છે.