તેલંગણાના હૈદરાબાદમાં એક વ્યક્તિએ 31 જાન્યુઆરીના રોજ બાળકની બલિ ચડાવી દીધી હતી.અા ઘટનાબાદ અેક વાર ફરી સવાલો ઉભા થાય છે કે શું ખરેખર અાપણે અંધવિશ્વાસુ બની રહ્યા છીએ. અા શખસને અેક તાંત્રીકે અેવુ કહ્યુ હતુ કે તમારા પુત્રની રાત્રીના સમયે ચંદ્રગૃહણ હોય ત્યારે બલિ અાપશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.બસ પછીતો કહેવું જ શુ અા મહાશયે કશું જ ન વિચાર્યુ અને પોતાના માસુમ બાળકને છત પરથી નીચે ફેંકી દીધુ. તાંત્રીકે અેવુ પણ કહ્યુ હતુ કે તારી પત્નીને જે અસાદ્ય બિમારી છે તે દુર થઈ જશે. બસ પછીતો કહેવું જ શુ તમામ સમસ્યાના સમાધાન માટે તેમણે અા રસ્તો અપનાવ્યો વિચારો કેવી માનસિક્તા રહી હશે અેક બાપે તેના સગા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો.પોલીસને હજુ સુધી બાળકનો મૃતદેહ નથી મળ્યો.
તંત્ર-મંત્રમાં ફસાયેલી આ પ્રકારની એક બીજી ઘટના આંધ્ર પ્રદેશના વિસનગર જિલ્લામાં બની હતી. એક 28 વર્ષની યુવતીને તેની માતા તાંત્રીક પાસે દોરાધાગા કરાવવા પહોંચી ગઈ. અા યુવતી અેક છોકરાના ગળાડૂબ પ્રેમમાં હતી તેની માતા નહોતી ઇચ્છતી કે તેની પુત્રી તેની સાથે કોઇ સંબંધ રાખે. તાંત્રીકને જ્યારે અા વાતની ખબર પડી તેણે યુવતીનો ફાયદો ઉઠાવ્યો. તેની માતા પાસેથી પૈસા વસુલ્યા અામ સરેરાશ માતાપુત્રીને જ નુકશાન થયુ.
ફક્ત અભણ જ નહી ભણેલાગણેલા લોકો પણ અાવી અંધશ્રદ્ધામાં પડે છે.પોતાનું જ નહી અાસપાસના તેમજ અંગત પરિવારનું નુકશાન કરી બેસે છે.અાપણી અા કમનસીબી છે કે અેક એવો દેશ જ્યાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. ભારતનું નામ બીજા દેશોમાં માન સાથે લેવામાં અાવે છે.અે જ દેશમાં તંત્રમંત્રના નામે અાવા ધતીંગ અને પોકળ વાતો ચાલે છે તે ખુબજ અાશ્ચર્ય જનક છે.