કલ્પના ચાવલા જેમણે દેશને ગર્વ અપાવ્યો,જેમણે અંતરિક્ષમાં ભારતનો ઝંડો લહેરાવી દેશનં નામ રોશન કર્યુ.કલ્પના બાળપણથી જ ઊંચી ઉડાન ભરવાના સપના જોતી હતી. તેઓ તેમના પરિવારમાં સૌથી નાના હતા.
કલ્પનાએ 1982માં ચંદીગઢ એન્જીનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિગ્રી અને 1984માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવ્યા બાદ, નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું.કલ્પનાએ અંતરિક્ષમાં પ્રથમ ઉડાન એસટીએસ 87 કોલંબિયા શટલથી પૂર્ણ કરી.
અંતરિક્ષમાં તેની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે અવકાશમાં 372 કલાક ગાળ્યા અને પૃથ્વીની 252 પરિક્રમા પૂર્ણ કરી.પેકના એરોનોટિકલ ડિપાર્ટમેન્ટની પ્રથમ વિદ્યાર્થીની હતી કલ્પના. વર્ષ 1988માં, કલ્પનાએ નાસામાં કામ શરૂ કર્યું અને પ્રથમ વખત 1997માં અને બીજી વખત 2003માં અંતરિક્ષમાં ઉડાન ભરી.
સ્પેસશીપ બીજા ફ્લાઇટ ઉતરાણ કરતા પહેલા ક્રેશ થયું, જેમાં કલ્પના ચાવલાનું નિધન થયુ.કોલંબિયા સ્પેસ શટલની ફ્લાઇટની મીડિયા રિપોર્ટ અનુસાર, સ્પેસ શટલ ઊડાન ભરી ત્યારે જ ખબર પડી ચૂકી હતી કે પૃથ્વી પર સલામત નહી પહોંચે સ્પેશ શટલ તેમજ તેમાં સવાર તમામ સાત અંતરિક્ષ યાત્રીઓ મોતને ભેટશે. અામ છતા પણ આ વિશે જાણ કરવામાં આવી ન હતી. આ બાબત આઘાતજનક છે, પરંતુ આ સત્ય છે. અા ઘટના બાદ મિશન કોલંબિયાના પ્રોગ્રામ મેનેજર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.
એ સમયે પ્રશ્ન એ હતો કે નાસાએ આ કેમ કર્યું? તેમણે અવકાશયાત્રીઓ અને તેમના પરિવારોને સાચી માહિતી કેમ છુપાવી હતી.પરંતુ નાસાના વૈજ્ઞાનિકો અેવું નહોતા ઈચ્છતા કે તેમના અંતરિક્ષ યાત્રીઓ દુઃખ અને મૃત્યુના ડર સાથે તેમનો પ્રવાસ ખેડે.