વિજયવાડાઃ આંધ્ર પ્રદેશમાં 75 વર્ષીય એક કોવિડ પીડિત મહિલા સાજી થઈને પોતાના ઘરે પરત ફરી તો તેના પરિવારે ભૂલથી કોઈ મહિલાની લાશના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ ઘટના બુધવારે કૃષ્ણા જિલ્લામાં જગ્ગેયાપેટ કશબામાં બની હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિશ્ચિયનપેટ વિસ્તારમાં ગિરિજામ્મા નામની મહિલા કોરોના સંક્રમિત થઈ હતી. તેને 12 મેના દિવસ વિજયવાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેના પછી પતિ ગદચ્યા ઘરે પરત ફર્યો હતો.
પતિ 15 મે તેમની હાલત જાણવા માટે ફરીથી હોસ્પિટલ ગયો હતો જ્યાં ગિરિજામ્મા પોતાના બેડ પર ગાયબ હતી અને હોસ્પિટલના કર્મચારીઓએ તેના પતિને કહ્યું કે બીજા વોર્ડમાં મોકલી દીધા છે.
હોસ્પિટલના બધા વોર્ડની સારી રીતે તપાસ કર્યા બાદ ગદચ્ચા ગિરિજામ્માની જાણ માટે અસફલ રહ્યો હતો. અંતમાં હોસ્પિટલના કર્મચારીને ગદચ્યાને કહ્યું કે તે પોતાની પત્નીને શબગૃહમાં જઈને શોધે.
જ્યારે તે શવગૃહમાં ગયો તો એક મૃત શરીર પોતાની પત્ની જેવી લાગી હતી. તેને કર્મચારીને જણાવ્યું કે તેણે પોતાની મૃત પત્નીની ઓળખ કરી લીધી છે. તો મૃત્યુ પ્રમાણપત્ર સાથે તેને લાશ સોંપી દે.
પરિજનો લાશને ઘરે લઈ ગયા અને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે દંપતિના પુત્ર રમેશનું પણ 23 મેના રોજ કોવિડના કારણે મોત થયું હતું. માતા-પુત્રના એક સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, થોડા દિવસમાં વૃદ્ધ મહિલા સારી જઈને હોસ્પિટલથી ઘરે આવતા પરિજનો ચોંકી ગયા હતા.