બહુ ચર્ચીત કાળિયાર કેસમાં થોડા સમયથી બિશ્નોઈ સમાજ ભારે ચર્ચામા છે. બિશ્નોઈ સમાજના લોકો જંગલી પ્રાણીઓ અને વૃક્ષો માટે પોતાનું જીવન પણ આપવા તૈયાર હોય છે.બિશ્નોઈ તેમના આધ્યાત્મિક ગુરુ જમ્ભેશ્વરના જણાવેલા 29 નિયમોનું પાલન કરે છે. જેમાં એક નિયમ વન્યજીવો અને વૃક્ષોનું રક્ષણ કરવા સાથે જોડાયેલો છે. તેઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વસે છે.
પ્રકૃત્તિપ્રેમી અા પ્રજા જંગલી પ્રાણઓના રક્ષણ માટે જીવન ન્યોછાવર કરે છે. મારવાડ રિયાસતના વસતિ અધિક્ષક મુન્શી હરદયાલે બિશ્નોઈ સમાજ પર એક પુસ્તક લખ્યું હતું.તેમણે લખ્યું હતું બિશ્નોઈ સમાજના સંસ્થાપક જમ્ભેશ્વરજી પંવાર રાજપૂત હતા. જ્યારે 1487માં મોટો દુકાળ પડ્યો ત્યારે જમ્ભેશ્વરજીએ લોકોની ઘણી સેવા કરી હતી.
બિશ્નોઈ પ્રભુત્વવાળા ગામોમાં એવાં દૃશ્ય પણ જોવા મળે છે, જ્યારે કોઈ બિશ્નોઈ મહિલા અનાથ હરણનાં બચ્ચાંને સ્તનપાન કરાવતી હોય.ભૂતપૂર્વ સાંસદ બિશ્નોઈ કહે છે વન્ય પ્રાણીઓ સાથે સમાજનો અતૂટ સંબંધ છે. આમ તો બિશ્નોઈ સમાજ આજીવિકા માટે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ ધીમે ધીમે બિશ્નોઈ સમાજના લોકોએ ઉદ્યોગોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું છે.હનુમાન બિશ્નોઈ કહે છે જમ્ભોજીએ પ્રકૃતિનો આદર કરવાનું શીખવ્યું છે. અમે સહઅસ્તિત્વમાં માનીએ છીએ.વ્યક્તિનો જીવ જેટલો મૂલ્યવાન છે એટલું જ મહત્વ પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે.