તાજમહેલને વિશ્વની સાત અજાયબીઓમાંથી એક માનવામાં આવે છે.તાજમહેલની સુંદરતાને નિહાળવા દુનિયાભરથી લોકો આવી પહોંચે છે.તાજમહેલની ધરોહરને સાચવવા માટે પ્રયાસો હાથ ધરવામાં અાવે છે. રિપોર્ટ મુજબ તાજમહેલ જોવા માટે કોઈપણ સામાન્ય દિવસે લગભગ 70,000 પ્રવાસીઓ આવે છે.
બદલાયેલ છે આ નિયમો- નવા નિયમો દ્વારા હવે ફક્ત 40,000 લોકો રોજ તાજમહેલ જોઇ શકશે.ઑનલાઇન અને ઑફલાઇન ટિકિટો ઉપલબ્ધ છે. 40,000 નો ક્વોટા પૂર્ણ થાય ત્યારે તે દિવસની ટિકિટ મળી શકશે નહીં.15 વર્ષથી ઓછી ઉંમરના પ્રવાસીઓને ‘જિરો વેલ્યુ’ ટિકિટમા સમાવેશ કરાશે. જેની કોઈ ચાર્જ નહીં લેવાય પરંતુ 40,000માં તેમની પણ ગણતરી કરવામાં આવશે.
3 કલાકથી વધુ કોઈ વ્યક્તિ હવે અહીં રોકાઈ નહી શકે. ભીડને કન્ટ્રોલ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.હવે તમે તાજ પરિશરમાં ફક્ત 3 કલાક સુધી જ તાજના દીદાર કરી શકશો.