અજબ-ગજબ ડેસ્કઃ વ્યવસ માણસના જીવનને બરબાદ કરી નાંખે છે. આવા અનેક કિસ્સાઓ આપણી આજુબાજુમાં બનતા રહે છે. જો કે નશાના રવાડે ચડાલા એક વ્યક્તિને ભીખ માંગવાનો વારો આવ્યો છે. એવું નથી કે આ વ્યક્તિ પાસે પૈસા નથી. આ વ્યક્તિ કરોડોની સંપત્તીનો આસામી છે. પરંતુ નશાના લતના કારણે તેની આવી હાલત થઈ છે.
રમેશ યાદવ નામનો આ વ્યક્તિ કેન્દ્ર સરકારની દીનબંધુ પુર્નવસન યોજના અંતર્ગત ભિક્ષુકો અને આશ્રય વગરના લોકો માટે પંજાબ અરોડવંશી ધર્મશાળામાં લાગેલા શિબિરમાં રહે છે. શિબિરમાં અત્યાર સુધીમાં 109 એવા લોકોને લાવવામાં આવ્યા છે જે કાં તો ભિક્ષાવૃતિ કરે છે કે નિરાશ્રીતોની જેમ રસ્તાઓ પર જ રહે છે. શિબિરમાં રહેતા મોટા ભાગના લોકોને પરિવારે જાકારો આપ્યો છે, જેના કારણે તેઓ રસ્તા પર ભિક્ષાવૃતિ કરે છે. તો અહીં કેટલાંક ભિક્ષુક એવા પણ છે જે બરોકટોક અંગ્રેજી બોલી શકે છે.
પરમ પૂજ્ય રક્ષક આદિનાથ વેલફેર ફંડ એજ્યુકેશન સોસાયટી પ્રવેશ સંસ્થાના હેડ રૂપાલી જૈનએ જણાવ્યું કે રમેશ યાદવને અમારી ટીમ ઈન્દોરના કાલી મંદિર નજીકથી લઈને આવી હતી. તેઓ બે વર્ષથી અહીં ભીખ માગી રહ્યાં હતા. તેઓએ લગ્ન નથી કર્યા, તેથી તેમનો પોતાનો તો કોઈ જ પરિવાર નથી પરંતુ ભાઈ-ભત્રીજા જરૂરથી છે. ટીમ જ્યારે તેમના ઘરે પહોંચી અને તેમના રૂમનું ઈન્ટીરિયર જોયું તો અવાક થઈ ગયા. કેમકે તેમના રૂમમાં લગભગ 4 લાખ રૂપિયાનો તો સામાન લગાડવામાં આવ્યો હતો. રમેશ યાદવના રૂમમાં એસી સહિતની તમામ સુખ-સુવિધાની વસ્તુઓ ઉપલબ્ધ હતી. જો કે રમેશ યાદવની શરાબ પીવાની કુટેવને કારણે તેઓને રસ્તા પર ભીખ માગવા માટે મજબૂર બનાવી દીધા હતા.
યાદવના નામે એક બંગલો છે, સાથે જ 15 બાય 50 ફુટનો એક પ્લોટ પણ છે. જો સંપત્તિની વાત કરવામાં આવે તો તેઓ આમ તો કરોડપતિ છે, પરંતુ સીધી આવક ન હોવાને કારણે તેઓ મંદિરની બહાર બેસીને ભીખ માગવા લાગ્યા હતા. અને આ પૈસાને પણ તેઓ નશામાં ઉડાવતા હતા. જો કે હવે તેઓ કહી રહ્યાં છે કે હવે ઘરમાં રહીને કામ કરશે.
પરિવારના લોકો એટલા માટે નારાજ હતા કે તેમના દ્વારા શરાબના વધુ પડતા સેવનથી પરિવારનું નામ ખરાબ થાય છે. રમેશ યાદવનો પરિવાર કહે છે કે તેમની શરાબની લત છોડાવી દો તો અમે તેનું સંપૂર્ણપણ ધ્યાન રાખીશું. યાદવમાં હવે થોડોઘણો સુધારો દેખાય છે. શરૂઆતમાં વોલેન્ટિયર પાસેથી પણ તેઓ શરાબની માગ કરતા હતા જેમાં હવે ઘટાડો થયો છે.