હૈદરાબાદના શ્રીરંગનાથન મંદિરના પુજારીએ છુઅાછુત સામે મોટું કદમ ઉઠાવ્યું હતું અેક દલિત ભક્તને ખભા પર બેસાડી મંદિર પરીષરમાં ભગવાનના દર્શન કરાવશે. દેશભરમાં ચાલતી દલિત વિરોધી માનસીકતા અોછી કરવા અા મંદિરના પુજારીએ અા કદમ ઉઠાવ્યુ છે. પુજારીએ કહ્યું છે કે દેશ એકતાની ભાવના મજબૂત કરવા માટે કઈ કરવુ પડશે. વેદિક મંત્રોચ્ચાર સાથે દલિત ભક્તને ખભા પર બેસાડી મંદિરમાં પ્રવેશ અપાશે. 60 વર્ષના પુજારી સી.એસ. રંગરાજન એક સ્થાનિક દલિત ભક્ત અાદિત્ય પારસરીને ખભા પર બેસાડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવશે.હૈદરાબાદની જિયાગુડુ સ્થિત મંદિરમાં આ કાર્યક્રમ સોમવારે સાંજના સમયે યોજાશે.
પુજારી દલિત ભક્તને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવતા લગભગ 2700 વર્ષ જૂની પરંપરાને તોડશે.અહીં મંદિરના ગર્ભગૃહમાં દલિતોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે.મંદિરના પુજારી અને તેલંગણા મંદિર સંરક્ષણ સમિતિના પ્રમુખ રંગરાજન કહે છે કે કાર્યક્રમનો હેતુ લોકોને સમાનતા પ્રચાર કરવાનો છે.તેમણે જણાવ્યું હતું કે, અમે વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની 1000મી જયંતી પર આ કદમ માનવતા અને ધર્મ માટે કરી છે, જેમણે માનવની સમાનતા પ્રચાર કર્યો હતો.