માણસ હંમેશા તેની અાસપાસ સબંધોના જાળા ગુંથે છે. તેને એકલા જીવવું ગમતું નથી અને એટલેજ તે તેની અાસપાસ રહેલા સંબંધોને સાચવે છે. પરંતુ શુ ખરા અર્થમાં તે સંબંધો દીલથી નીભાવે છે. માણસની સાઇકોલોજી સમજવી અામ પણ મુશ્કેલ છે. કેટલાક લોકો સબંધોને નિભાવવા ગમે તે હદે જાય છે જ્યારે કેટલાક લોકો ખુબજ બેદરકાર હોય છે.તમારી અાસપાસ પણ તમે અાવા કેટલાકને જોયા હશે જે અેકવાર સંબંધ બાંધે પછી દીલથી નીભાવે છે.
એવુ કહેવાય છે કે કોઇ પણ સંબંધને નિભાવવા માટે બે લોકોની સહમતી હોવી જરૂરી છે. સંબંધો કેયલાય પ્રકારના હોય છે ભાઈ-બહેન, માતા-પુત્ર. પતિ-પત્ની, અાડોશી-પાડોશી, દૂરના સગા, ગુરૂ-શિષ્ય, શાળા-કોલેજના સહપાઠી, ભાઈ-ભાઈ. અા દરેક સંબંધોની પણ એક અલગ અાભા હોય છે. દરેક સબંધની એક મીઠાશ હોય છે.
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે તમારી અાસપાસ કેટલા સંબંધોથી જોડાયેલા છો અને તેને કેટલો ન્યાય અાપો છો કે તેને દીલથી કેટલો નિભાવો છો. તમે અા સંબંધો વીના રહી શકો તેમ છો? અથવાતો તમારા જીવનમાં તેનું કેટલું મુલ્ય છે? કેયલાક સંબંધો અેવા હોય છે જે તમારી જીવનભરની મૂડી છે. જ્યારે કેટલાક સંબંધોને નિભાવવા માટે ભરપુર પ્રયાસો કરવા પડે છે અને સરેરાશ તમે તેમાં નિષ્ફળ જાવ છો. અાજે અેકવાર વીચારજો કે તમે તમારા જીવનમાં કેવી રીતે સંબંધો નીભાવો છો.