નવરાત્રી દરમ્યાન કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાના દરવાજા લગાવવામાં આવશે. આ પહેલા ગુફાના દરવાજા સંગમરમરના હતા. શ્રાઈન બોર્ડની નવી ડોનેશન પોલીસી હેઠળ ગુફાના દરવાજા સોનાના બનાવવામાં આવી રહ્યા છે. આ દરવાજાના નિર્માણ માટે ત્રણ માસનો સમય લાગ્યો છે. શ્રાઈન બોર્ડે મંદિરના દરવાજાની જવાબદારી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અને દિલ્હીના ઝંડેવાલાન મંદિરની નક્શી કરનાર કારીગરોને સોંપી હતી. મંદિરના પૂજારી દરરોજ ગુફામાં માતા વૈષ્ણોદેવીની પૂજા કરે છે. જ્યારે આ ગુફાને શિયાળામાં ખોલવામાં આવે છે.
Author: Hemangi Gor- SatyaDay Desk
ગલીલના સાગરની પાસે સ્થિત પૌરાણિક શહેરની ખુદાઇ દરમ્યાન 1500 વર્ષ પૂર્વેની ઇશુનું ચિત્ર મળી આવ્યું છે તેને મોજેક પેન્ટિંગ કહે છે. આ ચિત્રમાં ઇશુ પાંચ લોકો હજાર લોકોને પાંચ બ્રેડ ખવડાવતા જોઈ રહ્યા છે. ઉત્તરી ઇઝરાયલની હિપ્પોસમાં ખોદાકામમાં એક આગમાં ભષ્મિભૂત ચર્ચ મળી આવ્યું છે. જ્યારે બધા પુરાત્વવિદોન ઉત્સાહિત છે. આ ચર્ચ પાંચમી સદીનું છે. તે 700 ઇસવીન માં સળગાવી દીધું હતુ. પરંતુ આ આગ માં તે મોજેક થી જડિત જમીન કોઈ નુકસાન પહોંચ્યું નથી. હિપ્પોસ પહેલા ગ્રેકો રોમન સિટીનો ભાગ બન્યો હતો. જમીન પર બની આ મોજેક પેન્ટિંગમાં ન્યુ ટેસ્ટામેન્ટમાં ઇસુના એક ચમત્કાર બતાવવામાં આવ્યા હતા, જેણે ઇસુએ પાંચ…
વડોદરાના સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ટોઈલેટ પાસે રોટલી બનાવવામાં આવે છે તેવી ફરિયાદ કરી ભારે હોબાળો કર્યો હતો. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રી તેમજ તૈયાર ભોજનના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય વિભાગે ફુડ કોન્ટ્રાકટરને શેડ્યુલ 4ની નોટિસ આપી હતી તેમજ ફરિયાદ બોક્સ મૂકવામાં આવે તેવા સુચનો પણ કર્યા હતા.
108નો ગુઢ આંકડો પ્રાચીન ભારતીયોના મત મુજબ ખૂબજ પવિત્ર છે તમામ પ્રકારના આધ્યાત્મિક લક્ષણમાં 108 ને ખૂબજ મહત્વ આપવામાં આવે છે. જાપ-માળામાં 108 મણકા હોય છે અને મંત્રના આકડાની બાબતે કહેવાયું છે કે 108 એ પોતાનામાં રહેલા પવિત્ર પરમાતમા સુધી પહોચવાના પગથિયા છે. આ પવિત્ર આંકડો દિવ્યતા અને માનવ વચ્ચેના અનેક બાબતે જોવા મળે છે અને એમાં નવાઈ પામવા જેવું નથી, બધા જ ભારતીયો કે જેમા હિંદુ, બુદ્ધો, જૈનો, શીખો ને જાણવવામાં મદદ કરે છે. ખગોળ શાસ્ત્રમાં વૈદિકકાલિન આર્ષદ્રષ્ટાઓ ગણતરી કરી છે કે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એ સૂર્યની વ્યાસ રેખા કરતા 108 ગણુ છે. સુર્યની વ્યાસરેખા, પૃથ્વીની વ્યાસરેખા કરતા…
62 વર્ષના અનિલ કપૂર વર્તમાન સમયના હીરોને પણ તેના લુકથી માત આપે છે. અનિલ કપૂરને જોઈ તેની ઉંમર વિશે જાણવું મુશ્કેલ લાગે છે. તેમની એનર્જી અને યુવાન દેખાવ પાછળ જવાબદાર તેમની ખાસ ડાયટ છે. અનિલ કપૂરએ તેની આ સીક્રેટ ડાયટ વિશે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. અનિલ કપૂરએ તેની હેલ્થ અને યંગ લુકનું ક્રેડિટ સાઉથ ઈંડિયન ફૂડને આપી છે. જી હાં વાત જાણી નવાઈ તો લાગશે પરંતુ તે ઘણા વર્ષોથી સાઉથ ઈંડિયન ફૂડ જ ખાય છે. જો કે દરેક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે ઈડલી, ડોસા ખાવાથી યુવાની જળવાઈ રહે ખરી ? મહત્વપૂર્ણ છે કે કેટલાક નિષ્ણાંતો પણ આ વાતને…
એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યોં છે. આ વીડિયોમાં એક જર્નાલિસ્ટ લાઈવ ન્યૂઝ આપતા દેખાઈ રહી છે. આ ન્યૂઝની છેલ્લે તે કઈક એવુ બોલી કે લોકો હવે તેમની મજાક બનાવી રહ્યાં છે. રિપોર્ટરનું નામ છે સારા વેલ્ચ. અમેરિકન જર્નલિસ્ટ છે. કેલિફોર્નિયામાં રહે છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યોં છે તે 5 મેનો છે પરંતુ આ સમયે વાયરલ થઈ રહ્યોં છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સારા કોઈ ઘટના વીશે રિપોર્ટિંગ કરી રહી છે અને છેલ્લે તે કહે છે કે તે માણસ સુધી પહોંચવાની ખૂબ કોશિશ કરી જેનું તેમાં મૃત્યુ થયુ હતુ પરંતુ તે નિવેદન આપવા માટે…
ગ્રાહકો કે લોન ધારકોને ફાયદો થાય તેવી યોજના કે નિર્ણયો લેવામાં બેન્કો હંમેશા ઉદાસીન છે તે વાત આજે ફરી સાબિત થઇ ગઇ. દેશની સરકારી માલિકીની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) રેપોરેટ સાથે લિંક હોમ લોન પ્રોડક્ટ પરત ખેંચી લીધી છે. બેન્કે આ પ્રોડક્ટ 1લી જુલાઇ 2019ના રોજ લોન્ચ કરી હતી. ટ્વિટર ઉપર યુઝર્સની મૂંઝવણનો જવાબ આપતા બેન્કે ટ્વિટ કર્યું કે, તેણે રેપો રેટ આધારિત હોમ લોન સ્કીમને પરત ખેંચી લીધી છે. મતલબ કે આ સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. SBI એ એવા સમયે રેપો રેટ લિંક્ડ હોમ લોન સ્કીમ બંધ કરી છે જ્યારે RBIએ તમામ બેન્કોને…
રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક એવી બાળકી જન્મી છે જે જન્મની સાથે જ ફેમસ થઈ ચુકી છે. આ બાળકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ અંગે મળતી વિગતોનુસાર ટોંક જિલ્લાના દડાવતા નામના ગામમાં એક દંપતિના ઘરે એક દીકરા અને એક દીકરીનો જન્મ થયો છે. તેમનો દીકરો તો નોર્મલ છે પરંતુ તેમની દીકરીના શરીર સાથે અન્ય એક બાળકનું શરીર ચોંટેલું છે. આ બાળકીના ધડ સાથે અન્ય એક અર્ધવિકસિત ભ્રૂણ ચોંટેલું છે. આ દીકરીને બે હાથપગ સાથે અન્ય અંગ પણ વિકસિત થયેલા છે. ડોક્ટરોના જણાવ્યાનુસાર મહિલા રાજૂદેવીના ગર્ભમાં…
વરાછા માતાવાડી વિસ્તારના જવાહરનગરમાં પોલીસે દરોડા પાડી 5 મહિલા સહિત 8 જણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 28,700 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વરાછા પોલીસને બાતમી મળી હતી કે માતાવાડી વિસ્તારની જવાહરનગર સોસાયટીના ઘર નંબર 204 ના બીજા માળે મહિલા અને પુરૂષો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જવાહરનગરના ઘર નંબર 204 ના બીજા માળે દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા લાભુબેન પ્રફુલ સોલંકી (રહે. જનતાનગર સોસાયટી, વરાછા), અસ્મીત કિશોર ગોસ્વામી (રહે. સંતોષ સોસાયટી, મારૂતિ ચોક, વરાછા), અંકિત ભાણાભાઇ બાંભણીયા (રહે. લક્ષ્મીનગર સોસાયટી, સરથાણા), બાજુબેન ઉર્ફે મનિષા અજય બાંભણીયા (રહે. શ્યામવિલા સોસાયટી, કામરેજ ચાર રસ્તા),…
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ આસામની જેમ એનઆરસી લાગુ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે. યુપી પોલીસે તમામ જિલ્લાઓમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે અભિયાન શરુ કર્યુ છે.તેની સાથે સાથે રોહિંગ્યા મુસ્લિમોની પણ ભાળ મેળવવામાં આવશે. યોગી આદિત્યનાથ યુપીમાં એનઆરસી(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)લાગુ કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. જોકે આખી કવાયતમાં મુશ્કેલી એ છે કે, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી લેવાયા બાદ તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાય છે ત્યારે બાંગ્લાદેશ આવા ઘૂસણખોરોને સ્વીકારવાની ના પાડી દે છે. યુપીમાં 10 લાખ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહયા હોવાનો અંદાજ છે.પશ્ચિમી યુપીમાં નોએડા, ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર અને બુલંદ શહેર તેમનો અડ્ડો બની ગયા…