પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ મુસ્લિમ રોઝા રાખે છે અને અલ્લાહની બંદગીમાં ઓતપ્રોત થઈ જાય છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પંદર કલાક રોઝા દરમિયાન ખાવા-પીવાથી દુર રહેવાનું છે એટલું જ નહીં થૂંક પણ ગળવાનું રહેતું નથી. રોઝાના કારણે શરીરમાં કેટલીક ચૂસ્તીવર્ધક અને ફાયદાકારક ફેરફારો થાય છે તેના વિશે જાણીએ. પ્રથમ બે રોઝા પહેલા દિવસથી બ્લડ શૂગરનું લેવલ ઘટવા માંડે છે. એટલે કે લોહીમાંથી શૂગરની ખતરનાર અસરમાં ઘટાડો થવાનું શરૂ થઈ જાય છે. હૃદયના થડકારા સુસ્ત થઈ જાય છે અને લોહીનો દબાણ પણ ઘટે છે. નસો એકત્ર થયેલા ગ્લાઈકોઝનને છૂટું કરી દે છે. જેના કારણે શરીરમાં કમજારીનો…
Author: Satya Day News
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જે હાઈપ્રોફાઈલ સીટો બની છે તેમાં બનાસકાંઠા પણ એક સીટ છે. બનાસકાંઠા કોંગ્રેસના બળવાખોર ધારસભ્ય અલ્પેશ ઠાકોરના કારણે હાઈપ્રોફાઈલ બની છે. તો બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ ખરેખર કોંગ્રેસને હરાવી દીધી છે તો આનો જવાબ થોડો એવી રીતે મળી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાએ કોંગ્રેસને મોટું નુકશાન પહોંચાડી દીધું છે. હાલ તો અલ્પેશ ઠાકોર ભાજપનો ભગવો ખેસ ધારણ કરે તેવી અટકળો ચાલી રહી છે. કારણ આલ્પેશને ત્યાં યોજાયેલી વાસ્તુ પૂજામાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને મંત્રી હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતાઓને નિમંત્રણ સુદ્વાં અપાયા ન હતા. આવી સ્થિતિમાં બનાસકાંઠા લોકસભા માટે અલ્પેશ…
પોરબંદરમાં 30 વર્ષ પછી શીતળાનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રમાં હો-હા થઈ ગઈ છે. પોરબંદરના અડવાણાના સોઢાણા ગામમાં કેસ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રના તબીબો ઉચ્ચ સ્તરે કેસ અંગે જાણ કરી દીધી છે. પોરબંદરમાં આવેલા અડવાણા તાલુકના સોઢાણા ગામમાં નવ માસની બાળકીમાં શીતળાના લક્ષણો સાથેનો કેસ મળી આવ્યો છે. ડોક્ટરોએ તપાસ કરતા શંકાસ્પદ શીતળાનો કેસ હોવાનું ધ્યાને આવતા કેસની ગંભીરતા પારખી જઈ અમદાવાદની બીજે મેડીકલ લેબોરેટરી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ને આ અંગે જાણ કરવામાં આવી છે. બન્ને એજન્સીઓના ડોક્ટરોની ટીમ આ કેસની તપાસ કરવા પોરબંદર આવે તેવી શક્યતા છે. અડવાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર પ્રશાંત…
સમગ્ર ગુજરાતમાં પાણીનો કારમો કકળાટ સંભળાઈ રહ્યો છે. અત્યાર સુધી ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા ક્યારેય પણ સર્જાઈ ન હતી. પરંતુ આ વખતના ઉનાળામાં દક્ષિણ ગુજરાતના ગ્રીન હાઉસ તરીકે ઓળખાતા અને પાણી માટે સુખાકાર ગણાતા વલસાડ જિલ્લાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. વલસાડ જિલ્લામાં પાણીની કારમી અછત વર્તાઈ રહી છે. પશુઓને તો પીવાનું પાણી મળી રહ્યું નથી સાથો સાથ લોકોને પણ પીવાનું પાણી મળી રહ્યું નથી. વલસાડ જિલ્લાના કપરાડાના મનાલા ગામમાં ચાર ફળીયા વચ્ચે એક કૂવો છે અને ગામ લોકો આ કૂવાનાં પાણીનો વપરાશ કરે છે. કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું…
સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગત રોજ મારામારીના બનાવામાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી ભાગી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આખરે મામલો બહાર આવતા પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહીની લટકતી તલવાર જોવા મળી રહી છે. સુરતના ગોડાદરા ગામમાં સ્વામી નારાયણ સોસાયટી પાસે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં લીંબયત પોલીસ ત્રણ આરોપીઓને પકડી લાવી હતી અને પોલીસ સ્ટેસનમાં જમા લેવામાં આવ્યા હતા. અચાનક પોલીસને ચકમો આપીને જોન નામનો આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ વહેમ જ રહી હતી કે જોન ભાગશે નહીં પણ પોલીસને હાથતાળી આપી જોન ભાગી…
પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં આવેલી પ્રખ્યાત સૂફી દરગાહ દાતા દરબારની બાહર આજે સવાર થયેલા આત્મઘાતી હુમલામાં નવ લોકોના જાન ગયા છે. માર્યા જનારાઓમાં પાંચ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 25 લોકો ઈજા પામ્યા છે. ઈજાગ્રસ્તોને ઈલાજ માટે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વિસ્ફોટની નિંદા કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસની ગાડીને ટારગેટ કરવામાં આવી હતી. બોમ્બ ધડાકા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસને ખડકી દેવામાં આવી છે અને દરેક જગ્યાની તપાસ કરી રહ્યા છે. પાકિસ્તાન પંજાબ પ્રાંતના આઈજી આરીફ નવાઝે જણાવ્યું કે આત્મઘાતી હુમલો હતો, જેમાં પોલીસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલાખોર જે તરફથી…
ઈશનિંદાના આરોપમાં વર્ષો સુધી જેલવાસ ભોગવી ચૂકેલી પાકિસ્તાનની ખ્રિસ્તી મહિલા આસિયા બીબી હમણાથી 12 કલાક પહેલાં પાકિસ્તાન છોડીને કેનેડા પહોંચી ગઈ છે. પાછલાનવેમ્બર મહિનામાં આસિયા બીબીને મત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જેલમાંથી મૂક્ત થયા બાદ આસિયા બીબીને ગુપ્તચર સંસ્થાઓએ પોતાની નિગરાની હેઠળ રાખી હતી. આસિયાના વકીલ સૈફુલ મુલ્કે આસિયા અંગેની જાણકારી આપી હતી. આસિયાની મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા અને હિંસક દેખાવો કરાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આસિયાની બે પુત્રીઓને પહેલથી જ કેનેડા મોકલી આપવામાં આવી હતી. 2009માં પાડોશીઓ સાથે ઝઘડો થતાં તેમાં પયગમ્બર સાહેબનું અપામન કરવા બદલ નીચલી અદાલતે 2010માં…
પાકિસ્તાની સરહદમાં ધૂસીને એફ-16 વિમાનને ક્રેશ કર્યા બાદ હીરો બનીને ઉભરેલા ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો તરોતાજા વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યા બાદ માત્ર બે દિવસ પાકિસ્તાનની કેદમાં રહેલા અભિનંદનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ સાથી સૈનિકો સાથે મોજ મસ્તી કરતા જણાય છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથી સૈનિકો અભિનંદનની સાથે સેલ્ફી લેતા જોવા મલી રહ્યા છે. અભિનંદન ફરીથી ફરજ હાજર થઈ ગયા છે. વીડિયો જમ્મૂ-કાશ્મીરનો છે. અભિનંદનની મૂંછ પણ વધારે ઝાડી અને લાંબી થઈ ગઈ હોવાનું જણાય છે. સાથી સૈનિકોને અભિનંદન કહે છે કે હવે વધારે…
જૂનાગઢના મોસ્ટ વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખ્ખાને ગુજરાત ATSની મહિલા ટીમે દિલધડક ઓપરેશન કરીને પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSની મહિલા ટીમના જુસબ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. ATSની મહિલા ટીમના સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સીમ્મી મલનો ફોટોમાં ચારેયના હાથમાં ગન છે અને ફોટોમાં જુસબને બાંધેલો જોવા મળે છે. જુસબ અલ્લારખાની વિરુદ્વ જુનાગઢમાં હત્યા, ખંડણી અને લૂંટના અનેક કેસો નોંધાયેલા છે અને તે પાછલા કેટલાક વખતથી નાસતો ફરતો હતો. ATSની મહિલા ટીમને બાતમી મળી હતી કે જુસબ બોટાદના જંગલમાં લપાઈને બેઠો છે. તેના નંબર પણ પોલીસે ટ્રેસ કર્યા હતા. જુસબ જંગલમાં રહીને મોબાઈલનો બહુ ઓછો…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન તમાચો મારવાની ઘટના બનતા બારે હંગામો થયો છે. આ ઘટના દિલ્હીના મોતી નગરમાં બની છે. તમાચો મારનાર શખ્સને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે કેટલાક સમય પહેલાં દિલ્હી સચિવાલયમાં તેમના પર મરચીનો પાઉડર ફેંકવામાં આવ્યો હતો. કેજરીવાલ મુખ્યમંત્રી છે અને તેમની સુરક્ષાને લઈ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલ સાથે બનેલી ઘટના ગુજરાતમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સાથે પણ બની હતી. મોરબીમાં હાર્દિક પટેલને એક યુવાને મોબાઈલ પર વાત કરતા કરતા સ્ટેજ સુધી ધસી આવી ભાષણ કરી રહેલા હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હાર્દિક અને…