ભરૂચઃ સોમવાર :- કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૧૦/૦૮/૨૦૨૦ રોજ ૧૭ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૧૦૯૬ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૧૦/૦૮/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના – ૫૩૭ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૧૦૯૬ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૪ દર્દીના મરણ થયેલ છે તથા ૯૧૦ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૧૬૨ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
કોવિડ-૧૯ ના મરણ અંગેની માહિતી સરકારશ્રી ધ્વારા નિયત થયેલ ઓડીટ કમિટી ધ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.