રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશનમોડમાં જોવા મળી રહ્યા છે આ વખતે ગુજરાતમાં ત્રિપાખિયાં જંગે ખેલાશે જેને લઇ તમામ પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે રાજકારણ સૌથી જુની પાર્ટી કોંગ્રેસ જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા વિમુખ રહી છે.
કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડે દ્વારા પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ ભરૂચ જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા ને નોટીસ આપવામાં આવી હતી. નોટીસ આપ્યા બાદ પણ હજુ સુધી હટાવવા માં નથી આવ્યા તેનું શું કારણ છે.
તેના માટે સત્તામાં આવવુ તો દૂર વિપક્ષમાં પણ રહી શક્શે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે જેં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું કદ વધારી તેને જોતા કોંગ્રેસ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે તેવી છે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં નારાજગી દૌર શરૂ થયો છે હાલ કોંગ્રેસ એક સાંધે તેર તૂટે જેવી પરિસ્થિતિ છે બીજી તરફ એક બાદ- એક બાદ જિલ્લાઓમાંથી કોંગ્રેસમાં ભંગાણ પડવાના સમાચાર મળી રહ્યા છે તો સોનિયા ગાંધી સલાહકાર ગણાતા અને કોંગ્રેસ ચાણક્ય એવા અહેમદ પટેલના મતવિસ્તારમાંથી કોંગ્રેસ તૂટતી હોવાના એંધાણ મળી રહ્યા છે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓ કાર્યકર્તાઓમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સામે નારાજગી જોવા મળી રહી છે કોંગ્રેસ હોદ્દદારો એવો આક્ષેપ છે.
પરિમલ સિંહ રાણાં જેઓ કોંગ્રેસમાં રહી ભાજપના ફાયદાઓ કરવાના કામ કરી રહ્યા છે એટલે પક્ષને નુકશાન પહોંચાડ઼ી રહ્યાછે ભરૂચમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પસંદગી પ્રક્રિયા મેન્ડટ વિતરણમાં જે નામ સૂચવવામાં આવ્યા તેમાં કેટલાક બેઠકો પર જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા કોંગ્રેસ સમિતિને જાણ કર્યા વિના ફેરફાર કરવામાં આવ્યા હતા જેમાં પાલેજ જિલ્લાના આમોદ નગરપાલિકામાંથી સૂચવેલ નામ કાઢી પોતાના નજીક ગણાતા વ્યકિતને ટિકિટ આપતા વિવાદ વકર્યો છે જેને લઇ હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે હાદ્દેદારો આરોપ મુજબ પરિમલસિંહ રાણાં કોંગ્રેસ સિમિતનું પણ માનતા નથી પોતાની મનસ્વી પદ્ગિત અનુસાર કામ કરે છે.
આ બાબતે જે તે સમયે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડે દ્વારા પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ નોટીસ આપવામાં આવી હતી. નોટીસ આપ્યા બાદ પણ હજુ સુધી હટાવવા માં નથી આવ્યા તેનું શું કારણ છે.
નોધનીય છે કે જે વ્યકિત પાર્ટી બદલ ગેરશિસ્ત કરે છે તેના કોંગ્રેસ સારો પદ આપે છે થોડાક દિવસ આગાઉ દરિયાપુરના કોંગી કોર્પોરેટર નીરવ બક્ષી સહિત કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યલાયમાં તોડફોડ કરી ધમાલ મચાવ્યો હતો જેના પગલે પાર્ટીએ શિ્સ્તભંગ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા આજે તેમને શહેર કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોપવામાં આવી છે જો કોંગ્રેસ આતંરિક જુથવાદનો અંત નહી આવે તો વિપક્ષનું પણ સ્થાન ગુમાવી શકે તો નવાઇ નહી