ભાવનગરના વલ્લભીપુરના રતનપુર ખાતે નદીમાં ન્હાવા પડેલાં 10 લોકો તણાઈ ગયા હતા. જેમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. તો ડૂબી રહેલાં અન્ય પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતકોમાં આધેડ, એક યુવક, બે યુવતી અને 13 વર્ષનાં એક બાળકનું મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શનિવારે જન્માષ્ટમી અને રવિવારે પાણીમાં ડૂબી જવાના અલગ-અલગ બનાવમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં વલસાડમાં ભૈરવીમાં પોલીસની રેડથી બચવા એક શખ્સ નદીમાં કૂદી પડતાં મોત નિપજ્યું હતું. સુરત જિલ્લાનો યુવક કેનાલમાં ડૂબી ગયો હતો. કેશોદના સાબલી નદીમાં ડૂબી જતાં બે ભાઈનાં મોત નિપજ્યા હતા. માળિયાના દેરાળામાં પાણીમાં ડૂબી જતાં યુવકનું, વંથલી ગાંઠલિા ગામેથી પસાર થતી નદીમાં ન્હાવા પડેલાં બેનાં મોત નિપજ્ય હતા. ભાવનગરના યુવાનનું ધોધમાં ન્હાવા પડતાં મોત થયું હતું. બનાસ નદીમાં ચાર કિશોર ડૂબ્યા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું.
આમ છેલ્લા થોડા જ દિવસોમાં પાણીમાં ડૂબી જવાને કારણે ગુજરાતમાં અનેક લોકોનાં મોત નિપજ્યા છે. હાલ નદીમાં વરસાદી મોસમને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે. ત્યારે નદીમાં મોજ લેવાં જતાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. તો પોતાના બાળકો કે સગાં વ્હાલાઓને હાલ નદીમાં ન્હાવા મોકલતાં પહેલાં તેમને સાવધ કરવા અત્યંત જરૂરી છે. જેનાં કારણે માસૂમ લોકોનો જીવ ગુમાવવાનો વારો ન આવે.