હાલમાં લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નમાં ઘણી વખત એવી ઘટના બને છે કે ખુશી નો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે, આવીજ ઘટના ભાવનગર ના પછેગામમાં બની છે જ્યાં મીસ ફાયરમાં એક યુવાન નું મોત થયું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામમાં ગત મોડી રાત્રે લગ્ન પ્રસંગના દાંડિયારાસમાં મિસ ફાયર થતા રાજકોટના લોધિકા તાલુકાના પીપરડી ગામના યુવાન પ્રિયરાજસિંહ બળવંતસિંહ જાડેજાનું મોત નીપજ્યું જ્યારે શક્તિસિંહ સુમનસિંહ જાડેજાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્નમાં બનાવ બન્યો ગતરાત્રે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે લગ્નપ્રસંગે યોજાયેલ દાંડિયારાસમાં ફાયરિંગની ઘટના બનવા પામી હતી જેમાં પચ્છેગામ ખાતે રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં આવેલા મહેમાન પૈકી કોઈએ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કરતા ફાયરિંગમાં શક્તિસિંહ સુમનસિંહ જાડેજા તેમજ પ્રિયરાજસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.20)ને ઇજા થઇ હતી. જેમાં પ્રિયરાજસિંહની હાલત ગંભીર જણાતા તેને તાકીદે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
Sunday, May 19