વલ્લભીપુર તાલુકાના ચાડા રતનપર ગામે આવેલ કેરી નદીના ખાડામાં ન્હાવા પડતાં આ જ ગામે રહેતાં અને વ્યવસાયે ખેતમજૂરી કરતાં એક જ પરિવારના ૧૦ સભ્યો પાણીના વ્હેણમાં તણાયા હતા. જો કે, સ્થનિક ગ્રામજનો અને તરવૈયાઓએ પાંચ લોકોને બચાવી લીધા હતા.
જયારે, એક બાળા અને એક યુવતી સહિત પરિવારના પાંચ લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં તમામના ડૂબી જવાના કારણે મોત નિપજયા હતા. બનાવની જાણ થતાં વલ્લભીપુર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરારટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
એક જ પરિવારના ૧૦ લોકો પાણીના ઉંડા ખાડામાં ન્હાવા પડતાં એક પછી એક તમામ ૧૦ સભ્યો ડુબવા લાગ્યા હતા.તો, બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, વાડીમાં કામ કરતાં અન્ય મજૂરો તથા સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં જઇ પાંચ લોકોને હેમખેમ બહાર કાઢયા હતા. જયારે, પાણીના ઉંડાણમાં અન્ય પાંચ લોકો ગરકાવ થઇ જતાં લાપતા બન્યા હતા.
બીજી તરફ, આ બનાવની જાણ થતાં જ વલલ્ભીપુર મામલતદાર તથા વલ્લભીપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સ્થાનિક ગ્રામજનો તથા તરવૈયાઓની મદદથી પાણીમાં લાપતા બનેલાં વ્યકિતઓની શોધખોળ હાથ ધરી હતી.
સ્થાનિક તરવૈયાઓની લાંબી શોધખોળ બાદ પાણીમાં ગરકાવ થયેલ ગીધાભાઇ ઉર્ફે ગીરધરભાઇ લીંબાભાઇ સોલંકી (ઉ.વ.૫૦), તેમનો પુત્ર ગોપાલભાઇ ગીધાભાઇ ઉર્ફે ગીરધરભાઇ સોલંકી (ઉ.વ.૧૮), મહેશ મેહુલભાઇ સોલંકી (ઉ.વ.૧૭) નામનો તરૃણ તથા તેની નાનીબેન નિશા મેહુલભાઇ સોલંકી (ઉ.વ.૧૩) ના મૃતદેહ મળી આવતાં તમામના મૃતદેહને પી.એમ.અર્થે વલ્લભીપુર ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાનમાં હજુ એક વ્યકિત પાણીમાં લાપતાં હોવાથી તરવૈયાઓએ પૂનઃ શોધખોળ હાથ ધરતાં ભાવનાબેન ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.૧૮) નામની યુવતીનો શ્વાસ ચાલુ હોય તેણીને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુુલન્સ મારફત વલ્ભીપુર ખસેડાઇ હતી. જો કે, તેનું પણ સારવારમાં મોત નિપજતાં મૃતાંક પાંચ પર પહોંચ્યો હતો.
બનાવના પગલે નાના એવા ગામમાં ભારે એરેરાટી સાથે શોક છવાઇ ગયો હતો. બનાવના પગલે વલ્લભીપુર પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
પિતા, પુત્ર અને બે સગ્ગા ભાઇ-બહેનના મોત
નદીમાં ન્હાવા પડેલાં પાંચ લોકોના મોતે ભારે કરૃણાંતિંકા સર્જી હતી. જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. જેમાં પિતા, પુત્ર તથા બે સગ્ગા ભાઇ-બહેન તથા અન્ય એક તેમના જ પરિવારની પિતરાઇ બહેનનો સમાવેશ થાય છે.
ભાગીયા તરીકે રહી વાડીમાં નિંદણ કરતા હતા
સ્થાનિક ગ્રમજનોના જણાવ્યાનુસાર, મૃતક ગીરધરભાઇ સોલંકીએ કેરી નદીના બાજૂમાં આવેલ એક વાડીમાં ભાગીયું રાખ્યું હતું. અને હાલ વરસાદી સિઝન હોય નિંદણ કામ કરતાં હતા.પરિવારના મોભી એવા મૃતક ગીરધરભાઇએ પરિવારને આ કામમાં સાથે જોડયો હતો અને આ કરૃણાંતિકા સર્જાઇ હતી.
તરૃણ ન્હાવા પડયો, બચાવવા જતાં દૂર્ઘટના સર્જાઇ ?
સ્થાનિક ગ્રામજનો અને નજરે જોનારા સાથી ખેત મજૂરોના જણાવ્યાનુસાર, નદી નજીક ભાગીયું રાખનાર સોલંકી પરિવાર નિંદણ કામ કરતાં કપડાં બગડતાં ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે પરિવારનો જ તરૃણ મહેશ નદીમાં ન્હાવા પડતાં તે ડૂબવા લાગ્યો હતો. જેણે બચાવવા જતાં પરિવારના એક પછિ એક સભ્યો ઉંડા પાણીમાં ગરકાવ થઇ જવાના કારણે તેઓ પણ જૂબી જવાથી મોતને ભેટયા હતા. જો કે, વલ્લભીપિર મામલતદાર દ્વાર તૈયાર કરવામાં આવેલ પંચનામા મુજબ ૧૦ લોકો નદીમાં જુબ્યા હતા. જે પૈકી પાંચનો બચાવ થયો હોવાનો ઉલ્લેખ છે.
પરિવારે મોભી ગુમાવ્યા
દે.પૂ. પરિવાર ખેતમજૂરીએ આવ્યા બાદ બપોરના ભોજન લીધા બાદ હળવા થવા માટે નજીક આવેલ નદીમાં ન્હાવા પડયા હતા. અને અકસ્માતે એક પછી એક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જો કે, સદનસીબે ૧૦ પૈકી ૫ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જયારે અન્ય પાંચ સભ્યો મોતને ભેટયા હતા. જેમાં ભોગગ્રસ્ત પરિવારે પરિવારના મોભી એવા ગીધાભાઇ ઉર્ફે ગીરધરભાઇ સોલંકીને ગુમાવ્યા હતા.