દાંડિયા રાસ વખતે ફાયરિંગ જેવા બનાવો રોકવા નિર્ણય. સૌરાષ્ટ્રમાં ક્ષત્રીય સમાજ લગ્ન દરમ્યાન છેલ્લા કેટલાક વર્ષો થી દાંડિયા રાસ નો કાર્યક્રમ રાખવામાં આવે છે અને તે વખતે ક્યારેક અકસ્માત ના બનાવો બનતા હોય છે તાજેતર માં જ પછેગામ ગામ માં દાંડિયા રાસ ના કાર્યક્રમ દરમ્યાન મીસ ફાયર ની ઘટના બની હતી જેમાં એક આશાસ્પદ યુવાન નું કરુંણ મોત થયું હતું અને એક યુવાન ને ઇજા થઇ હતી ત્યારે આવા બનાવો નું પુરાવર્તન ન થાય તે માટે અગાઉ જુના રીત રિવાજો મુજબ જ સાદગી થી પરંપરાગત લગ્ન ગીતો , શરણાઈ અને ઢોલ જેવા વાજિંત્રો થીજ લગ્ન પ્રસંગ કરવા નો સામુહિક નિર્ણય ભાવનગર જિલ્લાના તળાજા તાલૂકા ના પસ્વી ગામ ના ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે. ગામ ના સરપંચ શ્રી અને વડીલો તેમજ યુવાનો એ આ નિર્ણય ને આવકારી પહેલ કરતા તેની ઠેરઠેર પ્રશંસા કરવામાં આવી રહી છે અને આપણી જૂની પરંપરા અને રિવાજ મુજબ જ લગ્ન કરવાની પહેલ થી ખોટા ખર્ચા ઉપર પણ કાબુ આવશે. આ નિયમ તોડનારે દંડ ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Sunday, May 19