દિલીપ પટેલ,
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ખેતરમાં કંઈ કપાકતું નથી. લીગ્નાઈટની ઝીણાં કણ ખેતરોના પાક પર પડે છે અને તેથી છોડ નાશ પામે છે. અહીં ખેડૂતોનો પાક થતો નથી.
ભારતમાં કદાચ સૌથી લાંબા સમયથી 1996થી 35 વર્ષથી નાનું અને 20 વર્ષથી મોટું આંદોલન ચાલી રહ્યું છે. હવે અહીં પ્રદૂષણ સામે આંદોલન શરૂ થયું છે જે બીજા 10 વર્ષ સુધી ચાલશે ત્યાં સુધીમાં વીજ મથક અને માણસોનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે. આ આંદોનને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેમાં નવી લડત ચાલુ થી છે. ગાંધીજીના અંગ્રેજ સામેના આંદોલન કરતાં પણ આ આંદોલન સૌથી એટલી માટે ધ્યાન ખેંચે છે કે અહીં ભગવા અંગ્રેજો અત્યાચાર કરી રહ્યાં છે.
પ્રદુષણથી સર્વનાશ
ભાવનગર જિલ્લાના પડવા અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાથી ખેતીને પારાવાર નુકસાન શરૂ થયું છે. અહીં પહેલા સરકારની કંપની સામે લીગ્નાઈટ અને જમીન સંપાદન મામલે 12 ગામના ખેડૂતો લડ્યા હતા. હવે પોતાની ખેતીની જમીન અને પાણી ખરાબ થઈ રહ્યાં હોવાથી બીજી લડત લડવા માટેની સ્થિતી ઊભી થઈ છે. લોકોનું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે.
સરકારી કંપની
ગુજરાત સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ ખેડૂતો કહે છે કે, તેમની ખેતી બરબાદ થતી બચાવો. પ્રદૂષણ કરવાના આરોપમાં રાજ્ય સરકારની વીજળી ઉત્પાદન કંપની ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) સામે આવી છે. લિગ્નાઈટ આધારિત વીજ પ્લાન્ટ ચલાવતા જીએસઈસીએલે આશરે 18 મહિના પહેલા ભાવનગર એનર્જી કંપની લિ. સંચાલિત પ્લાન્ટનો કબજો લીધો હતો.
પ્લાન્ટના પરિણામે ભૂગર્ભ જળ પ્રદૂષણ કૃષિ પાકને નુકસાન પહોંચાડે છે અને પીવાનું પાણી વધુ પીવાલાયક નથી.
ગામના આગેવાનોનો વિરોધ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) દ્વારા 24 અને 29 જાન્યુઆરી 2020એ પાણીના નમુના લીધા હતા. તપાસવામાં આવેલા પાણીના નમુનામાં ભૂમિ જળ પ્રદૂષણ બહાર આવ્યું છે. ગામના વરિષ્ઠ કાર્યકર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા પ્રદૂષણ અંગે મુખ્ય પ્રધાનનું ધ્યાન દોરેલું છે અને પ્રદૂષણ અટકાવવા વિનંતી કરી છે.
વીજ મથક
ગુજરાત સરકાર દ્વારા 500 મેગાવોટના ભવનગર એનર્જી કંપની લીમીટેડના પ્લાન્ટ માટે રૂ.5000 કરોડનું રોકાણ કર્યું છે. 250 મેગાવોટનું એક યુનિટ 16 મે 2016માં અને બીજા 250 મેગાવોટનું બીજું યુનિટ 27 માર્ચ 2017માં શરૂ થયું હતું.
40 લાખ ટન લીગ્નાઈટનો ધુમાડો આસપાસ
અહીંના અધિકારીઓ ગાંધીનગરની રૂપાણી સરકારના ઈશારે કામ કરે છે. લીગ્નાઈટ ખનીજના ઉત્ખનન અંગે કલેકટર હર્ષદ પટેલે 2 એપ્રિલ 2018માં જાહેર કર્યું હતું કે જીપીસીએલ લીગ્નાઈટથી 500 મેગાવોટ વીજળી પેદા કરે છે. વીજ મથકને 4 મિલીયન (40 લાખ) મેટ્રીક ટન જીપીસીએલને ઘોઘા-સુરકા (2.25 મિલીયન મેટ્રીક ટન – વર્ષ), ખડસલીયા-1 (1 મિલીયન મેટ્રીક ટન – વર્ષ) અને ખડસલીયા-2 (0.75 મિલીયન મેટ્રીક ટન-વર્ષ) એમ ત્રણ લિગ્નાઈટ ખાણો ખોદવાની મંજુરી મળેલી છે.
ત્રણ લિગ્નાઈટ ખાણોમાં કૂલ 90.75 મિલિયન મેટ્રીક ટન લીગ્નાઈટ છે. જે લિગ્નાઈટ સંપૂર્ણપણે પડવા ખાતેના વીજ મથકમાં વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
બીજો 1.1 મીલીયન ટન જીએમડીસીનો કાચો કોલસો
જીએમડીસીની સુરકા ઉત્તર માઈન તરફથી પણ 1.1. મિલીયન મેટ્રીક ટન-વર્ષ લિગ્નાઈટનો જથ્થો 20 વર્ષ સુધી આપશે. જીપીસીએલ દ્વારા ઘોઘા અને ભાવનગર તાલુકાના 11 ગામોની 1114 ખેડૂતોની 1414-58-18 (1.50 કરોડ ચોરસ મીટર) હેકટર જમીન પર બળજબરી કબજે કરી હતી.
ખાણીની મંજૂરી કોલસા મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી મેળવી લેવામાં આવી હતી. મીનરલ કન્સેશન અંગેનું લીઝડીડ પણ ભાવનગર કલેક્ટર સાથે કરવામાં આવેલ છે
પર્યાવરણ બચાવો
અમદાવાદ સ્થિત પર્યાવરણીય એન.જી.ઓ. પર્યાવર મિત્રના મહેશ પંડ્યાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં કહ્યું છે કે, અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કંઈ જ રહ્યું નથી.
સિંચાઈના કુવા અને બોર પ્રદૂષિત
ગામના કુવામાં પાણી ભરાયેલા નક્કર (ટીડીએસ) ની સંખ્યા 2,833 મિલિગ્રામ એક લિટરે છે, જ્યારે રાસાયણિક ઓક્સિજન માંગ (સીઓડી) 30 મિલિગ્રામ એક લિટર હતી. તે નક્કી કરેલા ધોરણોથી ઘણી વધારે આવી છે.
ચેકડેમ આખો પ્રદુષિત
જી.પી.સી.બી.ના નમૂના, લિગ્નાઇટ પ્લાન્ટના પરિસરમાં આવેલા ચેકડામમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં 3,140 મિલિગ્રામ એક લિટર, સીઓડી 489 મિલિગ્રામ એક લિટરે અને જૈવિક ઓક્સિજન માંગ (બીઓડી) 61 એમજી એક લિટરના ટીડીએસ હતા. જીએસઈસીએલ ગંદુ પાણી ચેકડેમમાં નાંખે છે. જે એક ગુનાહિત અપરાધ છે. સ્પષ્ટ છે કે, પ્રદૂષકો નજીકના ગ્રામીણ વિસ્તારોના ભૂગર્ભજળમાં પ્રવેશ કરે છે અને પ્રદૂષિત કરે છે.
ખુલ્લામાં પ્રદુષિત પાણી છોડાયા
જીપીસીબી નમૂનામાં બહાર આવ્યું છે કે, ખુલ્લા પ્રવાહ ચેનલમાં ટીડીએસ 2068 મિલિગ્રામ એક લિટર, સીઓડી 837 મિલિગ્રામ એક લિટર, અને બીઓડી 107 મિલિગ્રામ એ લિટર હતું. ચેનલમાં ચેકડેમ સુધી લઈ જવાતાં પાણીને એમફ્લ્યુઅન્ટ પ્લાંટમાં શુદ્ધ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે. જેનાથી ખેડૂતોની બરબાદી થઈ રહી છે.
20 વર્ષથી ભગવા અંગ્રેજો સામે આંદોલન
બાડી-પડવા સહિત 12 ગામોના ખેડૂતો વચ્ચે જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવાની માગણી સાથે 20 વર્ષોથી સરકારી કંપની સામે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે કંપનીએ માઈનીંગ કામગીરી શરૂ કરી દીધુ હતું. જેના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું હતું. હવે પ્રદુષણની સામે બીજા એટલા વર્ષો સુધી ગામના લોકોએ લડવું પડે એવું બિનસંવેદનશીલ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્તન છે. ભગવા અંગ્રેજ એવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વીજ પ્રધાન સૌરભ દલાલ ભાવનગર-બોટાદના વતની હોવા પ્રજા માટે કોઈ સહાનુભૂતિ ધરાવતાં નથી.
પોલીસ દ્વારા અત્યાચાર
ખેડૂતોને વિખેરવા અનેક ટીયરગેસના શેલ છોડયા હતા. જમીન સંપાદનનો વિરોધ કરતા ખેડૂતોને પોલીસે બેરહમીથી લાઠીઓથી ફટકારી હતી. 20 વર્ષ પહેલા પાડવા ગામની 140 એકર જમીનનો કબજો મેળવાયો હતો. હવે 12 ગામની જમીન કબજે કરી લેવાની હતી. 20 વર્ષ અગાઉ જીપીસીએલ દ્વારા લિગ્નાઈટ કંપનીને ખેડૂતોની જમીન સંપાદીત કરાઈ હતી. જોકે આટલા વર્ષો સુધી કંપની દ્વારા જમીન પર કોઈ કામગીરી ન કરાઈ. પરંતુ હવે કંપની જમીનનો કબ્જો મેળવવા આવતા ખેડૂતોએ જંગ શરૂ કરી છે. આજના બજાર ભાવ પ્રમાણે જમીનની કિંમત આપવા ખેડૂતો માગણી કરી રહ્યા છે.
નિર્દયી રૂપાણીએ લાઠીચાર્જ કરાવ્યો
વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે 50થી વધુ ટીયરગેસના શેલ પણ છોડયા હતા. 500ની સંખ્યામાં એકત્ર થઇ સુરકા ગામથી રેલી જીપીસીએલ કંપનીની સાઈટ પર જઈ રહી હતી. લાઠીઓ વીંઝવા માંડી હતી. ખેડૂતોને પકડી પકડીને પગમાં ને શરીરના જુદા જુદા ભાગોએ ભારે ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી લાકડીઓ રૂપાણી સરકારે ફટકારી હતી. અમાનવીય અત્યાચાર ભાજપની સરકારે કર્યો હતો.
ભગવા અંગ્રેજો
કોર્ટમાં અપીલ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, રેલીઓ, સ્થળ પર ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા. તેમ છતાં કંપની દ્વારા પોલીસનો સહારો લઇ બળપ્રયોગ કરી, લાઠીચાર્જ વરસાવી અને ટીયરગેસ છોડી ગમે તે સંજોગમાં આ જમીન પર કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તો ગામ લોકોએ ગુલાબનું ફૂલ આપીને પર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. 12 ગામના બાળકોએ શાળા છોડી દીધી. પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ કઢાવી લીધા હતા. છતાં અસંવેદનશીલ વિજય રૂપાણી અને સૌરભ દલાલના દીલને કોઈ અવાજ સંભળાયો ન હતો. સત્યાગ્રહ અને અસહકાર આંદોલન પણ કર્યું. આમ છતાં ભાજપની બહેરી સરકારના કાને તેમની વાત સંભળાય ન હતી.
ખેતરમાં અત્યાચાર
ઘોઘા મામલતદાર કચેરી ખાતે બે દિવસીય પ્રતિક ધરણા, સત્યાગ્રહ કર્યો હતો. છતાં કંપની દ્વારા જમીનનો કબજો મેળવીને તેના પર કામ શરુ કરી દેવામાં આવ્યું હતું. બળપ્રયોગથી જમીન પર કબજો મેળવી જે ખાણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તે કામ ને બંધ કરાવીને જ જંપીશું. આવા નિર્ધાર સાથે રવિવારે ઘોઘા તાલુકાના હોઇદડ ગામની સીમમાં મહિલાઓ, બાળકો વૃદ્ધો સહીત રેલી સ્વરૂપે સુરકા ગામના માઈનીંગ સાઈટ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. સાંજે 7 વાગ્યા પછી મહિલાઓ અને બાળકોને પોલીસ સ્ટેશન લઈ જવી તે કાયદાનો ભંગ છે. છતાં અહીં મહિલાઓ અને બાળકોને રાતના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યો છતાં પોલીસ દમન ગુજારવામાં આવતાં ભગતસિંહના માર્ગે જવાની જાહેરાત કરી હતી.
અદાલતની દરેક મૂદતમાં 350 લોકોને કઠેડામાં ઊભા રખાય છે
આજે પણ 350 લોકો જેમાં મહિલાઓ અને બાળકો પણ છે તેઓ અદાલતમાં તારીખ પડે ત્યારે એકી સાથે હાજર હોય છે. કદાચ ભારતનો આવો પહેલો અદાલતી ખટલો હશે તેમાં એકી સાથે 350 લોકો અદાલતની સમક્ષ હાજર થતાં હોય.
ઈચ્છા મૃત્યુની માંગણી
23 એપ્રિલ 2018માં 12 ગામના 5259 લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માગણી કરી હતી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોને કેટલા અપાયા
સંમતિ એવોર્ડ હેઠળ નક્કી થયેલ રકમ રૂ.36 કરોડ ખેડૂતોને આપી હતી. જીરાયત જમીન માટે હેકટર દીઠ 2.5 લાખ અને બાગાયત જમીન માટે 2.75 લાખ આપી હતી. જે 1997થી 2005 સુધીના સમયમાં વધું હતી.
વડી અદાલતમાં જાહેર આરજી
જમીનની સંપાદનની પ્રક્રિયા રદ કરવા માટે ખેડૂતોએ વડી અદાલતમાં અને દેશની સર્વોચ્ચ અદાલતમાં કરી હતી, જેમાં ખેડૂતોની જમીન અંગે જાહેર હીતની અરજી કરી હતી તે દેશના અન્ય 400 જેટલાં વિવાદોમાં 27 લાખ ખેડૂતોની સાથે જમીન સંપાદનની 24-2 નિયમની જોગવાઈઓનું અને ને અથવા ગણી ખેડૂતોના વિરોધમાં ચૂકાદો આપ્યો હતો. હવે આનંદ યાજ્ઞિક સાથે મળીને ખેડૂતો સર્વોચ્ચ અદાલતમાં 7 જજની ખંડ પીઠમાં અપીલ કરવાના છે.
ગામોમાં 144ની કલમ
ભાવનગર અને ઘોઘા તાલુકાના 11 ગામોમાં આગામી 16 નવેમ્બર 2018માં સુધી પૂર્વ મંજૂરી વિના સરઘસ કાઢવા અને ચારથી વધુ વ્યક્તિને એકઠા થવા પર કલમ 144 હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાગ્યે જ આવું બન્યું છે કે, 144મી કલમ લગાવવામાં આવી હોય.
નેટ બંધી
1થી 8મી એપ્રિલ સુધી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી મોબાઈલ નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
શું ખેતી હતી
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે. આસપાસના બાડી, સુરકા, મલેકવદર, રાજપરા, કરેડા, વાલેસપુર, નથુગઢ, વાવડી, મોરચંદ, છાયા અને પાણીયાળી જેવા ગામો માંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. આ ગામ અને તદ્દન નજીક આવેલ બાડી ગામને સાથે જ બાડી-પડવા તરીકે ઓળખવામાં આવે છે.