દેશ ભરમાં કોરોના પોતાનો કેહેર બતાવી રહ્યો છે અને લોકો સંક્રમિત થઈ ને સાજા પણ થઈ રહ્યા છે અને મૃત્યુ પણ પામી રહ્યા છે. ગઈકાલે 15 ઓગસ્ટ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ માં ભુજ ના ધારાસભ્ય નીમાબેન આચાર્ય હાજરી આપી હતી તથા નગરપાલિકામાં ફરજ બજાવતા કોરોના વોરિયરનું સન્માન કર્યું હતું અને આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના ભુજ ના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. તો હવે સવાલ એ ઊભા થવા પામ્યા છે કે, નીમાબેન જે સંક્રમિત થયા છે તો આ ધ્વજ વંદનમાં જે લોકો ઉપસ્થિત રહ્યા હતા તે લોકો શું સેલ્ફ આઈસોલેસન કરશે ?