બુલ્લીબાઈ એપ મામલે ૩ લોકોની ધરપકડ બાદ એક ટિ્વટર યુઝરે દાવો કર્યો છે કે, તે એપની પાછળનો માસ્ટરમાઈન્ડ છે. તેણે પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેના કહેવા પ્રમાણે- નિર્દોષ લોકોને હેરાન કરવાનું બંધ કરો, નહીં તો બુલ્લીબાઈ ૨.૦ માટે તૈયાર રહો. પોલીસને એવી શંકા છે કે, આ ટિ્વટર યુઝર નેપાળમાં છે અને ત્યાંથી જ આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપી રહ્યો છે. જાેકે પોલીસ ટિ્વટર યુઝરની સાચી જાણકારી મેળવવા માટે પ્રયત્નો કરી રહી છે. તે સિવાય ટિ્વટર યુઝરે એપનું વાસ્તવિક યુઝરનેમ, પાસવર્ડ અને સોર્સ કોડ શેર કરવા માટે પણ રજૂઆત કરી હતી જેનો ઉપયોગ એપ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. તેણે એક લિંક પણ શેર કરી છે.
પોલીસને ટાર્ગેટ કરીને જ્રખ્તૈએ૪૪ નામના ટિ્વટર એકાઉન્ટ પરથી ટિ્વટ કરવામાં આવેલી છે. યુઝરના કહેવા પ્રમાણે તમે (પોલીસે) ખોટી વ્યક્તિની ધરપકડ કરી છે. જે ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને આ કેસ સાથે કશું જ લાગતું વળગતું નથી. તેમને શક્ય તેટલી ઝડપથી મુક્ત કરવામાં આવે.વધુમાં લખ્યું છે કે, જ્યારે આ બધું શરૂ થયું ત્યારે મને પણ આ અંગે વધારે ખબર નહોતી કે, આનાથી શું થઈ શકે છે. હું મારા મિત્રો વિશાલ અને સ્વાતિના એકાઉન્ટનો ઉપયોગ કરૂં છું. તેમને ખબર પણ નથી કે, હું શું કરવા જઈ રહ્યો છું. તે બંનેની મારા કારણે ધરપકડ થઈ છે.
હવે તેઓ મને ગાળો આપવા માટે આઝાદ છે. અન્ય એક ટિ્વટમાં યુઝરે લખ્યું હતું કે, જાે કોઈ મારા માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી આપે તો હું આવીને આત્મસમર્પણ કરી દઈશ. આ તરફ મુંબઈ પોલીસના અધિકારીઓના કહેવા પ્રમાણે જ્રખ્તૈએ૪૪ હેન્ડલ પરથી કરવામાં આવેલી ટિ્વટની સત્યતાની પૃષ્ટિ કરવામાં આવી રહી છે. બુલ્લીબાઈ એપ મામલે પોલીસે અત્યાર સુધીમાં ૩ લોકોની ધરપકડ કરેલી છે. તેમાં ઉત્તરાખંડની રહેવાસી ૧૮ વર્ષીય સ્વાતિ પણ સામેલ છે. પોલીસે કરેલા દાવા પ્રમાણે એપ પાછળની માસ્ટરમાઈન્ડ આ યુવતી જ છે. તે સિવાય તેના ૨૦ વર્ષીય મિત્ર મયંક રાવત અને ૨૧ વર્ષીય મિત્ર વિશાલ કુમાર ઝાની ધરપકડ કરવામાં આવેલી છે.