અમદાવાદમાં ખાતે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે, સ્ટેડિયમનો સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા નિર્ણય લેવાયો છે. સ્ટ્રક્ચર રિપોર્ટ મુજબ સ્ટેડિયમ જોખમી છે. તેમાં કોઈ પણ ઇવેન્ટ કરવી જોખમી છે. હવે સરદાર પટેલ સ્ટેડિયમને રિનોવેટ કરવા અંગે વિચારણા થશે. જોકે સ્ટેડિયમના મેદાનનો રમત ગમત માટે ઉપયોગ થઈ શકશે. મેદાન સિવાયનું સ્ટ્રક્ચર જોખમી છે.
ઉલ્ખેલેખનીય છે કે ખેલલ મહાકુંભનો પ્રારંભ ભારતના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં દર વર્ષે ‘ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનતનું પ્રદર્શન કરે છે. તે માત્ર ખેલૈયાઓને (Gujarat Khel Mahakumbh 2022) પ્લેટફોર્મ જ નહીં, પરંતુ પ્રતિભાગીઓ વચ્ચે સ્પર્ધાત્મક, મૈત્રીપૂર્ણ વાતાવરણને પણ પ્રોત્સાહિત કરે છે. કોઈપણ વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકે છે. તે પંચાયત કક્ષાએથી શરૂ થાય છે અને ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગળ વધે છે. પછી, આ સ્તરના વિજેતાઓ રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં મળે છે.