માહિતી પ્રમાણે ઉંમરગામ કેટલાક વિસ્તારોમાં અચાનક ધરા ઘ્રુજવા માંડી હતી. લોકોને પ્રથમ સમજ ન પડી કે આ શું થઈ રહ્યું છે પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપનો આંચકો હતો. વાયુ વેગે વાત પ્રસરતા લોકો રસ્તા પર આવી ગયા હતા. આંચકાના કારણે દાંડી રોડના બેથી ત્રણ ઘરના કાચ તૂટી ગયા હતા. ઘરોમાં વાસણો પણ પડી જવાની ઘટના બની હતી. રોહીતવાસમાં કંપન થતા લોકોએ નાસભાગ કરી મૂકી હતી.
વલસાડના કલેક્ટર સીઆર ખરસાણાએ ટવિટ કરીને જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા મહારાષ્ટ્રના પાલઘરથી 12 કિ.મી દુર અનુભવાયા હતા. રિચર સ્કેલ 3.6 હતું અને આંચકા ઉંમરગામ પાલઘરથી 50 કિ.મી. દુર હોવાનું નોંધાયું હતું.