ભરૂચ આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યાં આકરા પ્રહારો.
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ભરૂચ ખાતે આદિવાસી સંમેલનમાં હાજર રહ્યાં જ્યાં તેમણે વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
પોતાના ભાષણ દરમિયાન કટ્ટરતાવાદીઓને સામે પડતાં જણાવ્યું હતું કે “હું કટ્ટર ઈમાનદાર છું”
આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં પોતાના પડછાયા પાડી રહ્યું છ, ત્યારે આજે અરવિંદ કેજરીવાલ સામે ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને તેમના પર પ્રહાર કર્યા છે, તેમણે જણાવ્યું કે “ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા @ArvindKejriwal આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.”
ચુંટણીના પડઘમ સાથે દરેક પાર્ટીઓ મેદાને છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી કોઈને કોઈ રીતે ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે, આપ પાર્ટીની રણનીતિ મુજબ આજે તેમણેે આદિવાસી સમાજની ગણાતી BTP પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, આદિવાસી સમાજની પ્રભુત્વ ધરાવતી બેઠકો મુખ્યત્વે ભાજપના કબજામાં છે, આપ પાર્ટી દક્ષિણ ગુજરાતની આ બેઠકો ભાજપ પાસેથી મેળવવા માટેનો મારગ મોકળો કરી રહ્યું છે.
આપ પાર્ટીની આ પ્રકારની સક્રિયતા કોંગ્રેસ કરતાં ભાજપ માટે મોટો પડકાર છે, અને તેથી જ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીનું જોર ગણાશે ત્યાં ભાજપ બમણાં બળથી સક્રિય થવાની કોશિશ કરશે તે નક્કી છે.
ચુંટણી સમયે આવે કે વહેલી આવે, રાજકીય પાર્ટીઓની ગતિવિધિઓ અત્યારથી પુરજોશમાં છે, આવી તમામ બાબતો જોતાં ગુજરાતનું રાજકારણ આગામી સમયમાં વધુને વધુ ગરમાવો પેદા કરશે તે નક્કી છે.