– મોદીએ પાટીદાર મુખ્યમંત્રીને કોંગ્રેસે હેરાન કર્યાના આક્ષેપ સામે જવાબ,ભાજપે જ પાટીદાર સી.એમ.ને હટાવ્યા, ચિમનભાઇને હટાવવા ખાડિયાકાંડ કર્યુ હતુ – સિધ્ધાર્થ પટેલ
– દલિત અને કોળી સમાજ દ્રારા યોગી આદિત્ય નાથનો વિરોધ, સાબુ લઇને કર્યો વિરોધ, કહ્યુ યોગીની યુપીમાં જરૂર છે ગુજરાતમાં નહિં, સુત્રોચ્ચાર કરી કર્યો વિરોધ.
– યોગી આદિત્યનાથે કહ્યુ કે કોંગ્રેસ મુક્ત ગુજરાત બનાવવાથી. કોંગ્રેસ મુક્ત ભારત બનાવવામાં આસાની રહેશે, ગુજરાતની પ્રજાએ રાહુલને મંદિરે જતા કરી દીધા છે.
– દેેવગઢ બારીયાવિધાનસભાના ધાનપુરમાં ભાજપ – કોંગ્રેસ આમને સામને, ધાનપુરના હાટબજારમાં પ્રચારમાં થઇ બબાલ
– બાયડમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપ-કોંગ્રેંસ સફળ, પ્રદેશ નેતાઓની દરમિયાનગીરી બાદ 6 અપક્ષ ફોર્મ પરત ખેંચાયા
– અમદાવાદ ઃ સાબિર કાબલીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, જમાલપુર-ખાડિયા બેઠક પરથી નોંધાવી હતી ઉમેદવારી
– વટવા બેઠક ઉપર કોંગ્રેસ કોર્પોરેટર અતુલ પટેલે ફોર્મ પરત ખેંચ્યુ
– વડગામ ઃ જલોત્રા ગામમાં જીજ્ઞેશ મેવાણીનો વિરોધ, જીજ્ઞેશ મેવાણીને હિન્દુ વિરોધી ગણાવતુ બેનર લાગ્યુ.
– દાણીલીમડા વિધાનસભા વિસ્તારમા કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારનો થયો વિરોધ, જુહાપુરા મુસ્લિમ જનહિત દ્રારા વિરોધ થયો હતો. સ્થાનિક લોકોએ કર્યો હતો વિરોધ, પાચ વર્ષમાં નથી લીધી વિસ્તારની મુલાકાત
– બોટાદ ઃ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં એસપી સ્વામીનું રાહુલ ગાંધીનાં બિન હિન્દુની નોંધને લઇ નિવેદન, હિંદુ કોણ છે તે નક્કી કરવાનો અધિકાર ભઆજપનો નથી, દેશનાં ધર્માચારીઓએ આ અધિકાર ભાજપને નથી આપ્યો, મઠ મંદિરો ભાજપના નથી