Lic Scheme Update: પીએમ વય વંદના યોજના(PM Vaya Vandana Yojana) માં રોકાણ કરનારા માટે જરૂરી સમાચાર છે. જે લોકો પીએમ વય વંદના યોજના સાથે જોડાવવા માગે છે તેમના માટે ફક્ત ગણતરીના દિવસો બાકી છે. કારણ કે આ યોજનાને સરકાર આ મહિનાની 31 તારીખના રોજ બંધ કરવા જઈ રહી છે. તેથી ઈચ્છુક લોકો અત્યારથી જાણકારી લઈ રોકાણ કરી શકે છે. નહીંતર તમને આ સ્કીમનો લાભ નહીં મળી શકે. કારણ કે પીએમ વય વંદના યોજના ખૂબ જ શાનદાર છે. કોરોનાકાળ પહેલા જ સરકારે તેને ચાલુ કરી હતી.
1 એપ્રિલના રોજથી થઈ જશે બંધ
આપને જણાવી દઈએ કે, 1 એપ્રિલ, 2023ના રોજ પ્રધાનમંત્રી વય વંદના યોજનાને બંધ કરી દેવામાં આવશે. આ સ્કીમની ખાસ વાત એ છે કે, દર મહિને 18,500 રૂપિયાની પેન્શન મળે છે. સાથે જ તમારી મૂળ રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. આપને જણાવી દઈએ કે, એલઆઈસીએ આ સરકારી સ્કીમને 4 મે, 2017ના રોજ લોન્ચ કરી હતી. સ્કીમ લોકોને ખૂબ જ પસંદગ પડી રહી હતી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, કોઈક કારણસર સરકારે તેને લેપ્સ કરવાનો નિર્ણય લીધો છો. સેકીમ હેઠળ આપને મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. ઉપરાંત સ્કીમ સમયનો સમયગાળો 10 વર્ષ છે.
પતિ-પત્ની બંનેને મળે છે પેન્શન
પીએમ વય વંદના યોજનાની વિશેષ વાત છે કે, તેમાં પતિ-પ્તની બંનેને રોકાણની તક મળે છે. સાથે જ બંને જ લોકોને પેન્શનનો લાભ પણ લઈ શકે છે. એટલે કે પતિ અને પત્ની મળી 30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આવી સ્થિતિમાં તમને દર મહિને 18,500ની પેન્શન મળતી રહેશે. સ્કીમને લેવા માટે તમારી ઉંમર 60 વર્ષથી વધુ હોવી ના જોઈએ. જો તમે સ્કીમનો લાભ લેવા માગો છો, તો નજીકની એલઆઈસીઓફિસ જઈ સમગ્ર માહિતી મેળવી શકો છો. યાદ રાખો કે, યોજના લેવા માટે ફક્ત ગણતરીના દિવસો જ બાકી છે. 1 એપ્રિલના રોજ સ્કીમને બંધ કરી દેવામાં આવશે.