Adani Group Acquired Karaikal Port: અદાણી ગ્રુપ (Adani Group) એ વધુ એક પોર્ટ પોતાના નામે કર્યું છે. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જાહેરાત કરી હતી કે, નેશનલ લો ટ્રિબ્યુનલ (NCLT) ની મંજૂરી મળ્યા બાદ કરાઈકલ પોર્ટ પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, ડીલ પૂર્ણ થઈ ગઈ છે.
કરાઈકલ પોર્ટના અધિગ્રહણ પહેલા અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને KPPLની કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગ તરીકે ગણવામાં આવતા હતા. કરાઈકલ પોર્ટ એ ભારતના પુડુચેરીમાં સ્થિત એક મોટા કદનું અને તમામ સીઝન, ઊંડા પાણીનું બંદર છે. તેમાં પાંચ ફંક્શન બર્થ, ત્રણ રેલવે સાઇડિંગ, 600 હેક્ટર જમીન અને 21.5 મિલિયન મેટ્રિક ટનની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા છે.
કંપનીએ શું માહિતી આપી
અદાણી પોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કરાઈકલ પોર્ટના અધિગ્રહણ માટેનો સોદો 1,485 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. નિવેદન મુજબ, પોર્ટ તમિલનાડુના કન્ટેનરવાળા કાર્ગો બેઝ્ડ ઔદ્યોગિક કેન્દ્રો અને આગામી 9 એમએમટીપીએ સીપીસીએલ (MMTPA CPCL) રિફાઇનરીની નજીક છે.
અદાણી ગ્રુપની પાસે 14 પોર્ટ
અદાણી પોર્ટના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે, કરાઈકલ પોર્ટની ખરીદી સાથે અદાણી ગ્રુપ હવે સમગ્ર દેશમાં 14 પોર્ટનું સંચાલન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહકો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમય જતાં 850 કરોડ ખર્ચ કરાશે. કંપની આગામી પાંચ વર્ષમાં પોર્ટની ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે.
અમે આપને જણાવી દઈએ કે, કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના કરાઈકલ જિલ્લામાં સ્થિત છે અને તેની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી અને તે ચેન્નાઈથી લગભગ 300 કિમી દક્ષિણમાં સ્થિત છે, જે એક મુખ્ય બંદર છે. જ્યારે અદાણી ગ્રુપ દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને લોજિસ્ટિક્સ કંપની છે.