Sam Pitroda: રંગભેદ અંગેના નિવેદનના વિવાદ બાદ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી. તેમણે X પર લખ્યું કે સામ પિત્રોડાએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે, જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.
સામ પિત્રોડા અવારનવાર પોતાના નિવેદનોને લઈને લોકોના નિશાના પર આવે છે. પિત્રોડાએ બુધવારે જ રંગભેદ પર નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભારતમાં પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે અને દક્ષિણના લોકો દક્ષિણ આફ્રિકાના લોકો જેવા દેખાય છે. કોંગ્રેસે પિત્રોડાના આ નિવેદનથી અંતર રાખવાનું વલણ અખ્ત્યાર કર્યું હતું. સામ પિત્રોડાના નિવેદન અંગે કોંગ્રેસે કહ્યું કે, “ભારતની વિવિધતાની આ વ્યાખ્યા સ્વીકાર્ય નથી. આ ખોટી છે.” પરંતુ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપે આને મુદ્દો બનાવી દીધો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણાના વારંગલમાં જાહેર સભા દરમિયાન પિત્રોડાના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “શહેઝાદાનાના ફિલોસોફરે ચામડીના આધારે દેશવાસીઓનું અપમાન કર્યું. તેમની સાથે દુર્વ્યવહાર કર્યો.”
પિત્રોડાએ હાલમાં જ અમેરિકાના હેરિટન્સ ટેક્સ અંગે નિવેદન આપ્યું હતું. જેના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ હતી.