EPFO સબસ્ક્રાઈબર માટે EPFO નિયમો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સબસ્ક્રાઈબર્સની સંખ્યા સતત વધી રહી છે. EPFOમાં નિવૃત્તિ લાભો ઉપલબ્ધ છે જેના કારણે ઘણા લોકો તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ સિવાય તેમાં લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ પણ આપવામાં આવે છે. જેના વિશે ઘણા ગ્રાહકો જાણતા નથી. આ લાભ હેઠળ કર્મચારીને 50,000 રૂપિયાનો સીધો લાભ મળી શકે છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO ) એ કર્મચારીઓ માટે ભવિષ્ય નિધિ યોજના શરૂ કરી છે. ઇપીએફ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો. આ યોજનામાં, કર્મચારીને નિવૃત્તિ પછી પેન્શન અને એકમ રકમનો લાભ મળે છે.
કંપની દ્વારા કર્મચારીની સાથે પીએફમાં યોગદાન આપવામાં આવે છે, જેનો લાભ કર્મચારીને નિવૃત્તિ પછી મળે છે. EPFOના ઘણા એવા નિયમો છે જેની સબસ્ક્રાઇબર્સને જાણ નથી.
આમાંનો એક નિયમ લોયલ્ટી-કમ-લાઇફ બેનિફિટ સાથે સંબંધિત છે. આમાં, કર્મચારીને 50,000 રૂપિયાનો સીધો લાભ મળે છે. જોકે, આ માટે તેઓએ શરત પૂરી કરવી પડશે.
લોયલ્ટી-કમ-લાઇફ બેનિફિટની શરત શું છે?
તમામ પીએફ ખાતાધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હંમેશા માત્ર એક જ ઈપીએફ ખાતામાં યોગદાન આપે. જો તે આમ કરે છે અને 20 વર્ષ સુધી સતત રોકાણ કરે છે, તો તેને લોયલ્ટી-કમ-લાઇફ બેનિફિટનો લાભ મળી શકે છે.
સીબીડીટીએ આ લાભ આપવાની ભલામણ કરી હતી. સીબીડીટીએ કહ્યું હતું કે તેનો લાભ એવા પીએફ ખાતાધારકોને મળવો જોઈએ જેઓ 20 વર્ષથી સતત યોગદાન આપી રહ્યા છે.
CBDTની આ ભલામણ બાદ EPFOએ આ લાભ આપવાનું શરૂ કર્યું. તેનો લાભ તે સબસ્ક્રાઇબર્સને મળે છે જેઓ 20 વર્ષ સુધી પીએફ ખાતામાં યોગદાન આપે છે. EPFO તેમને 50,000 રૂપિયાનો વધારાનો લાભ આપે છે.