Tata Motors : દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની Tata Motors તેના પેસેન્જર વ્હીકલ લાઇન-અપની કિંમતો અપડેટ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં કંપનીએ તેના કોમર્શિયલ વ્હીકલના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ટાટા પંચ, સફારી વગેરે પેસેન્જર વ્હીકલના ભાવમાં પણ વધારો કરવામાં આવશે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી કિંમતો 1 મે, 2023થી લાગુ થશે.
જો તમે પણ Tata Motors કાર અથવા એસયુવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે, કારણ કે 1 મેથી વ્હીકલની કિંમતો વધી જશે. કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વ્હીકલની એક્સ-શોરૂમ કિંમતમાં લગભગ 0.6%નો વધારો કરવામાં આવશે. હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે કયા કારની કિંમત કેટલી વધશે, તે અલગ-અલગ મોડલ પર નિર્ભર રહેશે.
ભાવમાં કેમ થઈ રહ્યો છે વધારો ?
Tata Motorsનું કહેવું છે કે નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન નોર્મ્સ હેઠળ વ્હીકલને અપડેટ કરવાને કારણે ઇનપુટ કોસ્ટ વધી રહી છે. આ જ કારણ છે કે વ્હીકલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ, 2023ના રોજ દેશમાં નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન નોર્મ્સ (RDE) અથવા BS6 ફેઝ-2 લાગુ કરવામાં આવ્યા હતા. આ નવા નિયમ હેઠળ વ્હીકલ ઉત્પાદકોએ વાસ્તવિક પરિસ્થિતિઓમાં ઉત્સર્જન સ્ટાડર્ડને પૂર્ણ કરવા જરૂરી છે અને આ માટે તેમણે વ્હીકલને અપડેટ કરવા પડશે.
વર્ષમાં બીજી વખત ભાવમાં વધારો
Tata Motors આ વર્ષે બીજી વખત વ્હીકલની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ, કંપનીએ ગયા ફેબ્રુઆરીમાં તેના પેસેન્જર વ્હીકલના ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે પણ, કંપનીએ ઇનપુટ કોસ્ટમાં વધારાને ટાંકીને વ્હીકલની કિંમતમાં લગભગ 1.2% વધારો કર્યો હતો, જે વિવિધ મોડલ અને વેરિઅન્ટ માટે અલગ અલગ હતા.