ભારતે બાંગ્લાદેશને 9 વિકેટ હાર આપીને આસાન વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ભારતની ટક્કર હવે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 18 જુને રવિવારે થશે.
બાંગ્લાદેશના 264 રનના જવાબમાં ભારતે 1 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સદી ફટકારતા 123 રને નોટ આઉટ રહ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક રમત રમતા નોટ આઉટ 96 રન બનાવ્યા હતા. શિખર ધવન 46 રને આઉટ થયો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મહમદુલ્લાહ 21, મોસાદ્દેક હુસેન 15, મુશ્ફિકુર રહીમ 60, શાકિબ અલ હસન 15, તમિમ ઇકબાલ 70 રન પર આઉટ થયા હતા. ભારત તરફથી જાધવ, બૂમરાહ અને ભુવનેશ્વરે બે-બે વિકેટ ઝડપી છે જ્યારે જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશની ખરાબ શરૂઆત થઇ હતી. બાંગ્લાદેશે મેચની પ્રથમ ઓવરમાં જ સોમ્ય સરકારના રૂપમાં વિકેટ ગુમાવી હતી. સૌમ્ય સરકાર શૂન્ય રન પર ભૂવનેશ્વરની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે સબ્બીર રહેમાન પણ ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. તે 19 રન બનાવી આઉટ થયો હતો. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતું મેચ પહેલા ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેથી ભારત- બાંગ્લાદેશ વચ્ચેની મેચ થોડી મોડી શરૂ થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા માત્ર ફાઈનલમાં પહોંચવા માટે જ નહીં પરંતુ ટાઈટલને જીતવા માટેની પણ પ્રબળ દાવેદાર છે.