IPL 2022માં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. વિરાટ કોહલી બેંગ્લોરની ટીમના મુખ્ય બેટ્સમેનોમાંનો એક છે, પરંતુ કોહલી માટે ખરાબ સમયનો અંત નથી આવી રહ્યો. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં વિરાટ સસ્તામાં આઉટ થયો હતો. આ વખતે આઉટ થયા બાદ તે ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો, આકાશ તરફ જોઈને વિરાટ પણ ગુસ્સામાં કંઈક કહેતો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી પંજાબ કિંગ્સ સામે 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં કોહલીએ 2 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. વિરાટ ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ચોથી ઓવરમાં વિરાટ કાગિસો રબાડાનો શિકાર બન્યો હતો. રાહુલ ચહરના હાથે કેચ આઉટ થયા બાદ તે પેવેલિયન પરત ફર્યો હતો અને ઘણો નિરાશ જોવા મળ્યો હતો. પેવેલિયન પરત ફરતી વખતે વિરાટ આકાશ તરફ જોઈને ગુસ્સામાં કંઈક કહેતો જોવા મળ્યો, તેણે બંને હાથ આકાશ તરફ ઉંચા કરીને કંઈક કહ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ મેચમાં વિરાટ કોહલીની વિકેટ લીધા બાદ પંજાબ કિંગ્સે પણ ટ્વિટ કર્યું હતું. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં પંજાબ કિંગ્સે લખ્યું, ‘વિરાટ કોહલી, અમે પણ મજા લીધી. આશા છે કે નસીબ જલ્દી તમારી તરફેણ કરશે!’ પંજાબ કિંગ્સની ટીમ પણ ઈચ્છે છે કે વિરાટ કોહલી જલ્દી ફોર્મમાં પરત ફરે. વિરાટની આવી પ્રતિક્રિયા જોઈને ફેન્સ પણ ખૂબ જ નિરાશ દેખાયા.
Never seen him like this 🥺💔 @imVkohli pic.twitter.com/cikv9lFZnH
— Hemanth Teju (@HemanthTeju17) May 13, 2022
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં આઈપીએલમાં પોતાના 6500 રન પૂરા કર્યા. વિરાટ IPLના ઈતિહાસમાં 6500 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ સીઝનની વાત કરીએ તો IPL 2022માં વિરાટ કોહલી ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે અને માત્ર 1 અડધી સદી ફટકારી શક્યો છે. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ પણ 113.46 છે. તે જ સમયે, તેના IPL કારકિર્દીની 220 મેચોમાં 6519 રન છે.