નવી દિલ્હી: બીસીસીઆઈ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને આજે કોલકાતાની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમને 27 જાન્યુઆરીએ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 29 જાન્યુઆરીએ તેમની બીજી એન્જીયોપ્લાસ્ટી હતી. ગાંગુલી (48) ને ગુરુવારે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.દેવી શેટ્ટી અને ડો.અશ્વિન મહેતા સહિતના ડોકટરોની ટીમ દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરાઈ. ગાંગુલીને હૃદયની સમસ્યાને કારણે બુધવારે મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આજે હોસ્પિટલમાંથી સૌરવ ગાંગુલીની તસવીર બહાર આવી છે. પૂર્વ ભારતીય કેપ્ટનનો એક દિવસ અગાઉ એન્જીયોપ્લાસ્ટી થઈ હતી અને તેના હૃદયની ધમનીમાં અવરોધ દૂર કરવા માટે વધુ બે સ્ટેન્ટ દાખલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અચાનક તબિયત લથડતાં સૌરવ ગાંગુલીને દક્ષિણ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.