નવી દિલ્હી. ક્રિકેટ જગત અને ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. આવતા મહિનાથી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે જેમાં દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં મેચ રમાશે. હકીકતમાં, કોરોના રોગચાળાને લીધે, ખાલી સ્ટેડિયમમાં અથવા મર્યાદિત દર્શકોમાં જ મેચ રમાતી હતી. ગયા મહિને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી ફાઇનલ 2021) ની ફાઈનલ પણ સાઉધમ્પ્ટનમાં મર્યાદિત પ્રેક્ષકોની સામે રમી હતી. ફક્ત 4 હજાર જેટલા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી હતી.
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોવિડ 19 થી સંબંધિત પ્રતિબંધો હટાવ્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં રમવાના સમાચાર સામે આવ્યા છે, હાલમાં ભારતીય ખેલાડી હાલ 20 દિવસના વિરામ પર છે . વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ ભારતીય ખેલાડીઓને 20 દિવસનો વિરામ આપવામાં આવ્યો હતો.
ટીમ લંડનથી નોટિંગહામ જવા રવાના થશે
બધા ખેલાડીઓ 14 જુલાઇએ લંડનમાં પાછા ભેગા થશે અને તે પછી નોટિંગહામ જવા રવાના થશે, જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવશે. કેટલાક ખેલાડીઓ પરિવાર સાથે ફરતા હોય છે જ્યારે કેટલાક વિમ્બલ્ડન અને યુરો કપની મજા લઇ રહ્યા છે.