નવી દિલ્હી : આઈપીએલ (IPL)ની 13 મી સીઝનમાં જીતથી શરૂ થયેલી ચૈન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 25 સપ્ટેમ્બર, શુક્રવારે દિલ્હી કેપિટિલે CSKને 44 રને હરાવી હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સતત બીજી મેચમાં બેટ્સમેનની નિષ્ફળતાથી નિરાશ દેખાયો. તેમણે કહ્યું કે સાત દિવસનો આરામ તેને ખામીઓ શોધવા માટે મદદ કરશે. ચૈન્નાઈની આગામી મેચ 2 ઓક્ટોબરના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ની સામે છે.
ધોનીએ કહ્યું, ‘મને નથી લાગતું કે તે અમારા માટે સારી મેચ હતી. ત્યાં કોઈ ઝાકળ ન હતી, પરંતુ વિકેટ થોડી ધીમી પડી ગઈ હતી. અમારા બેટિંગ વિભાગને થોડી અછત આવી છે અને આ નુકસાન પહોંચાડે છે. ધીમી શરૂઆતને કારણે, રન રેટ વધતાં દબાણ વધે છે. તેનો ઉકેલ લાવવો પડશે.
તેમણે કહ્યું, ‘અમને આગામી સાત દિવસ આરામ કરવાની તક મળશે અને અમારે સ્પષ્ટ ચિત્ર સાથે પાછા આવવું પડશે. (અંબતી) રાયડુની આગામી મેચમાં વાપસી થવાથી ટીમનું સંતુલન સુધરશે. ” ધોની તેના બોલરોના પ્રદર્શનથી પણ ખુશ નહોતો.