નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર અને કમેંટેટર દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચમાં તેની વિવાદિત કોમેન્ટ્રીને કારણે ચર્ચામાં છે. આ મેચની કોમેન્ટ્રી દરમિયાન કાર્તિકે આ બેટને ‘પડોશીની પત્ની’ ગણાવ્યું હતું, જેના વિશે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું હતું. આજ સુધી ઘણા લોકો દિનેશ કાર્તિકની આ ટિપ્પણીની ટીકા કરી છે. જોકે, વિવાદ વધતો જોઈને કાર્તિકે ત્રીજી વનડે મેચની કોમેન્ટ્રી દરમિયાન આ માટે માફી માંગી હતી.
કાર્તિકે શું કહ્યું
ખરેખર દિનેશ કાર્તિક ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝમાં કોમેંટેટર તરીકે સંકળાયેલ છે. બીજી વનડે મેચ દરમિયાન, તેમણે ટીકા દરમિયાન કહ્યું હતું કે, “મોટાભાગના બેટ્સમેનોને પોતાનું બેટ ગમતું નથી અને તેઓ અન્યના બેટને પસંદ કરે છે. અન્યના બેટ પાડોશીની પત્ની જેવા હોય છે.” આ ટિપ્પણી બાદ લોકોએ તેની સોશ્યલ મીડિયા પર ખૂબ ટીકા કરી હતી.
"Bats are like a neighbour's wife. They always feel better."
WTAF?! 🤬 pic.twitter.com/E8emRa5RUZ
— Rachel Romain (@RERomain) July 1, 2021
ડબ્લ્યુટીસી ફાઇનલ્સથી કોમેન્ટ્રીની દુનિયામાં પ્રવેશ કર્યો
દિનેશ કાર્તિકે ભારત અને ન્યુ ઝિલેન્ડ સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચથી આ કોમેન્ટ્રી શરૂ કરી હતી. તેમની કોમેન્ટ્રી ઘણા દિગ્ગજોએ પણ વખાણી હતી. પરંતુ તાજેતરમાં ચાહકો તેમની આ વિવાદાસ્પદ ટિપ્પણીથી ખૂબ નારાજ છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ તેને માફી માંગવાનું કહ્યું હતું.