Dinesh Karthik : IPL 2024ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે RCBનું IPL ચેમ્પિયન બનવાનું સપનું 17 વર્ષ પછી પણ પૂરું થઈ શક્યું નથી. આ મેચમાં દિનેશ કાર્તિકે તેની છેલ્લી આઈપીએલ મેચ રમી હતી. જો કે આ સવાલનો હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ સામે આવ્યો નથી, પરંતુ મેચ બાદ જે રીતે કાર્તિકને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાર્તિકે છેલ્લી આઈપીએલ મેચ રમી છે.
દિનેશ કાર્તિક ભાવુક થઈ ગયો
RR સામેની હાર બાદ RCBના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પોતાના સાથી ખેલાડીઓ અને પ્રશંસકોનો આભાર માનતા મેદાનમાંથી બહાર નીકળતી વખતે ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખો ભીની હતી. આરસીબીના ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. આ સાથે જ વિરાટ કોહલીએ તેને ગળે લગાવીને તેની કારકિર્દીને બિરદાવી હતી. જોકે કાર્તિક તરફથી તેની નિવૃત્તિ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે, પરંતુ તેની નિવૃત્તિ અંગે ચારેબાજુ અટકળો લગાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું નથી. IPL 2024ના પ્રારંભિક તબક્કામાં કાર્તિકનું શાનદાર પ્રદર્શન જોઈને તેને T20 વર્લ્ડ કપ 2024 માટે વિકેટકીપર તરીકે મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. પરંતુ જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે કાર્તિકને તેમાં જગ્યા મળી ન હતી.
From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6
— IndianPremierLeague (@IPL) May 22, 2024
દિનેશ કાર્તિકની આઈપીએલ કરિયર આવી હતી
તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે આઈપીએલની પ્રથમ સિઝન એટલે કે 2008માં ડેબ્યૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે ઘણી ટીમોનો ભાગ રહીને 257 મેચ રમી છે. આ મેચોની 234 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 26.32ની એવરેજ અને 135.36ની સ્ટ્રાઇક રેટથી 4842 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 22 અડધી સદી આવી. કાર્તિકે 466 ફોર અને 161 સિક્સ ફટકારી હતી.