ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સિઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન બન્યો હતો અને ત્યારબાદ 8 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ એમએસ ધોનીને કેપ્ટનશિપ પાછી સોંપી હતી. તે જ સમયે, તે પાંસળીની ઈજાને કારણે IPL 2022 ની સમગ્ર સિઝનમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાના કેપ્ટન તરીકેના પ્રદર્શન અને તેની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠ્યા હતા અને હવે એક પછી એક આવી ઘટનાઓ બાદ તેના ફ્રેન્ચાઇઝી સાથેના સંબંધો પર સવાલો ઉઠી રહ્યા છે.
જોકે CSKના CEO કાસી વિશ્વનાથને કહ્યું છે કે આ ફ્રેન્ચાઈઝી સાથે જાડેજાનું ભાવિ સુરક્ષિત છે, કેટલાકને લાગે છે કે આ CSKની જાડેજા સાથેની છેલ્લી સિઝન હોઈ શકે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું પણ માનવું છે કે જાડેજા અને CSK આ સિઝન પછી કદાચ સાથે નહીં હોય. તમને જણાવી દઈએ કે જાડેજા વર્ષ 2012થી CSK સાથે જોડાયેલા છે.
આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જાડેજા આ સિઝનમાં CSK સાથે નહીં હોય અને મને લાગે છે કે તે આગામી સિઝનમાં પણ આ ટીમ સાથે નહીં હોય. CSK કેમ્પમાં એવું શું થાય છે કે તમે જાણતા નથી કે શું થયું, કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થયો કે પડતો પડ્યો. વર્ષ 2021માં સુરેશ રૈના સાથે પણ આવું જ થયું હતું. તેને થોડી મેચો બાદ અચાનક જ બહાર કરી દેવામાં આવ્યો હતો.
આકાશ ચોપરાએ CSKના પ્રદર્શન વિશે વાત કરતા કહ્યું કે ચેન્નાઈને આગળ વધવાની તક મેળવવા માટે જીતતા રહેવું પડશે. જો કે હવે ગણતરીની વાત છે, પરંતુ જીતવું જરૂરી છે. દરેક વસ્તુની શરૂઆત એ હકીકતથી થાય છે કે તેમને મેચ જીતવી છે. હવે મુંબઈ સામેનો મુકાબલો પણ તેમના માટે કપરો રહેશે, પરંતુ તે રસપ્રદ બનવાની છે.