નવી દિલ્લી: આપણને ક્યારેક મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સેલિબ્રિટિઝ અને ક્રિકેટ ખેલાડીઓ અને મોટા દિગ્ગજ લોકો શું જમતા હશે જેથી તેઓ એકદમ ફીટ રહે ચે. ત્યારે આપણે અહીં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ફિટનેશ માટેના ડાયટ ઉપરથી પડદો ઉઠાવીશું. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર સવાલ જવાબનું સેશન રાખ્યું હતું. આ સેશન દરમિયાન વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ અંગેના સવાલોના જવાબ પણ આપ્યા હતા. ચાહકોએ કોહલીને તમામ પ્રકારના સવાલ પૂછ્યા હતા. તેના ફેન્સે કોહલીના ડાયટથી લઈને તેણે છેલ્લી કઈ વસ્તુ ગૂગલ કરી હતી તે પણ પૂછ્યું હતું.
એક ચાહકે વિરાટ કોહલીને તેની ડાયટ અંગે પૂછ્યું જેના જવાબમાં કોહલીએ કહ્યું કે, બહુ બધા શાકભાજી, ઈંડા, બે કપ કોફી, દાળ, પાલક ખાઉં છું. ઢોસા મને પસંદ છે, પણ સીમિત પ્રમાણમાં. એક ચાહકે પૂછ્યું કે તમે દિવસ દરમિયાન શું ખાવ છો? જે અંગે વિરાટ કોહલીએ કહ્યું કે, સામાન્ય પદ્ધતિએ બનાવવામાં આવે હોય તેવી ભારતીય વાનગી. ક્યારેક ચાઈનીઝ ખાવ છું. બદામ, પ્રોટીન બાર અને ફળ પણ વિરાટ કોહલીની ડાયટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. કોહલી અત્યારે મુંબઈમાં રહે છે. ઇંગ્લેન્ડ સામે ખરાબ ફિટનેસના કારણે લેગસ્પિનર વરુણ ચક્રવર્તીને રમવાની તક મળી નથી. ત્યારે કોહલીએ કહ્યું હતું કે, તમામ ખેલાડીઓએ ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. પૂર્વ ખેલાડીઓએ કોહલીના આ નિવેદનની નિંદા પણ કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમે કપિલદેવની કેપ્ટનશિપમાં 1983માં વર્લ્ડ કપ વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે ભારતીય ટીમે મજબૂત ગણાતી વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવી હતી. ત્યાર બાદ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં વર્ષ 2002માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સંયુક્ત વિજેતા બન્યું હતું. બાદમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ 2007નો ટી20 વર્લ્ડ કપ, 2011નો વનડે વર્લ્ડકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 200 મેચમાં સુકાનીપદ સંભાળી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી આઈસીસીની ટ્રોફી જીતી શકયો નથી. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ જીતીને તે કપિલદેવ, ગાંગુલી અને ધોની શ્રેણીમાં ઉભું રહેવાની ઈચ્છા રાખશે.
વિરાટ કોહલી સુકાની તરીકે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ રમ્યો છે. જેમાં 1 જીત્યો અને 4 હાર્યો છે. કેપ્ટન તરીકે કપિલદેવે સૌથી વધુ 2 ટેસ્ટ જીત્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમે 3 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને 1 મેચ ડ્રો રહી હતી. એકંદરે કપિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડની ટેસ્ટ હારી નથી.
ટીમ ઈન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ 9માંથી એક ટેસ્ટમાં જીત મેળવી હતી. 7માં પરાજય થયો હતો. સૌરવ ગાંગુલીએ 4માં એક જીત મેળવી હતી. જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રાહુલ દ્રવિડે 3 ટેસ્ટમાંથી એકમાં જીત મેળવી હતી, બાકીના બે મેચ ડ્રો થયા હતા. અત્યાર સુધીમાં ભારતના 16 કેપ્ટન ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયા હતા, જેમાં માત્ર કપિલ દેવ અને રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ એક પણ ટેસ્ટ મેચ હારી નથી.