બાબર આઝમનો સમાવેશ વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં તેની કેપ્ટનશીપમાં પાકિસ્તાને જે રીતે હોમ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારથી બાબરની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થયા છે. પાકિસ્તાનને પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝ ડ્રો કરી હતી. બાબરને કેપ્ટનશીપ અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર તે ગુસ્સામાં આવી ગયો હતો.
જ્યારે હસન અલીને પૂછવામાં આવ્યું કે શું શાદાબ ખાન પાકિસ્તાનનો આગામી કેપ્ટન બનવા માટે તૈયાર છે, તો તેણે જવાબ આપ્યો, “તે પાકિસ્તાનની કેપ્ટનશિપ કરવા માટે તૈયાર છે.” તેણે પીએસએલમાં કેપ્ટન તરીકે પોતાની જાતને સાબિત કરી છે. મને લાગે છે કે તેણે બે મેચમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ પણ કરી છે, તેથી મને લાગે છે કે તે તૈયાર છે. તે કોઈપણ પડકાર માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે હંમેશા તૈયાર રહે છે.
હસન અને શાદાબ બંને પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઈસ્લામાબાદ યુનાઈટેડ માટે રમે છે. શાદાબ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પાકિસ્તાનનો વાઇસ કેપ્ટન પણ છે. શાદાબે 32 મેચોમાં ઈસ્લામાબાદ યુનાઈટેડની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેની ટીમે 17માં જીત મેળવી છે અને 15 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.