નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે ચેન્નઈમાં પોતાનો ક્વોરેન્ટીન સમય પૂરો કર્યો હતો અને ટીમના ખેલાડીઓ પ્રથમ વખત મેદાન પર જોવા મળ્યા હતા. શુક્રવારથી ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સાથે ચાર મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમના કોવિડ -19 માટે નિયમિત અંતરાલ પર ત્રણ આરટી-પીસીઆર પરીક્ષણો લેવામાં આવ્યા હતા અને તમામ પરિણામો નકારાત્મક રહ્યા છે. ભારતીય ટીમે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાલીમના ફોટા શેર કર્યા છે.
ઇશાંત અને વિરાટ નજરે પડે છે
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં ઇશાંત તેના સાથી ખેલાડીને ગળે લગાવેલો જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે ઇશાંત ઈજાને કારણે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ભારતીય ટીમનો ભાગ નહોતો. અન્ય એક ફોટોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર ચાલતો નજરે પડે છે. ટીમનો બોલિંગ કોચ ભરત અરૂણ અન્ય સાથી ખેલાડીઓ સાથે ઉભો જોવા મળે છે.
ઇંગ્લેન્ડની ટીમ પણ પ્રેક્ટિસ શરૂ કરશે
રીલંકાના પ્રવાસ પર ન જનાર ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રોરી બર્ન્સનો ક્વોરેન્ટીન સમય પહેલા જ પૂર્ણ થઈ ચુક્યો છે અને તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇંગ્લેન્ડની ટીમો હવે ક્વોરેન્ટીનથી બહાર થઈ ગઈ છે. ટીમ બપોરે બેથી પાંચ દરમિયાન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે.