મુંબઈઃ અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. અને ટી-20 શ્રેણીમાં બે મેચ ભારત અને બે મેચ ઇંગ્લેન્ડે જીતી હોવાથી રન રેટ 2-2થી બરોબરી કરી છે ત્યારે આગામી દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાનારી છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સીરીઝની ત્રણેય મેચ પુણેમાં રમાશે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે. જોકે વનડે ટીમમાં ઈશાન કિશનને તક નથી મળી. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ચહેરાઓને સામેલ થવાની આશા રાખવામાં આવતી હતી અને તેમાં કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાના નામ સૌથી ઉપર છે.
સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને યુવા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ વનડે સિરીઝ માટે ઇન્ડિયન સ્ક્વોડમાં જગ્યા મળી છે, વિજય હજારે ટ્રોફીમાં 14 વિકેટ લેનાર કર્ણાટકના પેસર કૃષ્ણાને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. વડોદરાના કપ્તાન કૃણાલે પણ વિજય હજારે ટ્રોફી 2020-21 સીઝનમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. તેમને 5 મેચોમાં 129.33ની સરેરાશથી 388 રન બનાવ્યા હતા, જેમાં 2 શતક અને 2 અર્ધશતક પણ સામેલ છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર.