CRICKET: ઝિમ્બાબ્વે ક્રિકેટે 6 ફેબ્રુઆરીના રોજ હોમ ગ્રાઉન્ડ પર ભારત સાથે T20 સિરીઝ રમવાની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ T20 શ્રેણી T20 વર્લ્ડ કપ 2024 પછી રમાશે. મંગળવારે 6 ફેબ્રુઆરીએ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ (BCCI) અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ શ્રેણીની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 6 જુલાઈ, 2024થી શરૂ થશે. ભારતીય ટીમ આ સિરીઝ ઝિમ્બાબ્વેમાં જ રમશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ શ્રેણીના આયોજનનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો અને બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે સહકારની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તેમનો આનંદ વ્યક્ત કરતા, ઝિમ્બાબ્વે ક્રિકેટના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ કહ્યું, “જુલાઈમાં ટી20I શ્રેણી માટે ભારતની યજમાની કરવા માટે અમે સંપૂર્ણપણે રોમાંચિત છીએ, જે આ વર્ષે ઘરની ધરતી પર અમારું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય આકર્ષણ હશે.
તેણે વધુમાં કહ્યું કે “ક્રિકેટની રમતને હંમેશા ભારતના પ્રભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી ઘણો ફાયદો થયો છે અને હું ફરી એકવાર ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રતિબદ્ધ થવા બદલ BCCIનો ખૂબ ખૂબ આભાર માનું છું.” આ અંગે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, “BCCIએ હંમેશા વૈશ્વિક ક્રિકેટ સમુદાયમાં યોગદાન આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. અમે સમજીએ છીએ કે આ ઝિમ્બાબ્વે માટે પુનઃનિર્માણનો સમયગાળો છે અને ઝિમ્બાબ્વે ક્રિકેટને આ સમયે અમારા સમર્થનની જરૂર છે.
ભારત અને ઝિમ્બાબ્વે T20 શ્રેણીનું પૂર્ણ શેડ્યૂલ
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આ T20 શ્રેણી જુલાઈ 2024માં રમાશે. જો કે, બંને ટીમો દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કારણ કે આ શ્રેણીમાં હજુ ઘણો સમય બાકી છે. આ પહેલા ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 રમશે. જે જૂનમાં શરૂ થશે. આ T20 સિરીઝનો સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. આ શ્રેણીની તમામ મેચ હરારેમાં રમાશે.
પ્રથમ મેચ- 6 જુલાઈ (હરારે)
બીજી મેચ- 7 જુલાઈ (હરારે)
ત્રીજી મેચ- 10 જુલાઈ (હરારે)
ચોથી મેચ- 13 જુલાઈ (હરારે)
પાંચમી મેચ- 14 જુલાઈ (હરારે)