ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ એશિયા કપ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ સુપર ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માએ કહ્યુ કે તે ટીમના પ્રદર્શનથી ખુશ છે. ભારતના 182 રનના પડકારનો પીછો કરતા પાકિસ્તાને રિઝવારનના 51 બોલમાં 71 રન અને કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમનારા નવાઝ 20 બોલમાં 42 રન વચ્ચે ત્રીજી વિકેટ માટે 73 રનની ભાગીદારીથી એક બોલ બાકી રહેતા પાંચ વિકેટે 182 રન બનાવીને જીત મેળવી હતી.
રિઝવાન અને નવાઝના આઉટ થયા બાદ આસિફ અલી (16) અને ખુશદિલ શાહ (14) ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.રોહિત શર્માએ મેચ પછી કહ્યુ, મને લાગે છે કે આ સારો સ્કોર હતો, કોઇ પણ પિચ, કોઇ પણ સ્થિતિમાં 180 એક સારો સ્કોર છે પરંતુ જો તમે વચ્ચેની ઓવરમાં વિકેટ નથી લેતા તો વસ્તુ મુશ્કેલ બની જાય છે. આપણને આજે કેટલુક શીખવા મળ્યુ છે. રોહિત શર્માએ કહ્યુ, ખેલાડીઓએ જોકે, સારો પડકાર આપ્યો અને અમે અંત સુધી મેચમાં બન્યા રહ્યા હતા. હું ટીમના પ્રદર્શનથી ખુશ છુ. રોહિત શર્માએ કહ્યુ કે આ ઘણી દબાણ વાળી મેચ હતી અને ટીમે અંત સુધી ધીરજ બનાવી રાખી.
રોહિત શર્માએ કહ્યુ, વિરાટ કોહલીનું ફોર્મ શાનદાર છે તેમાં કોઇ શક નથી. દરેક બેટ્સમેન ખાસ કરીને વિરાટ કોહલીએ અમને આ સ્કોર સુધી પહોચાડવામાં મદદ કરી હતી અમે વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ જોકે, પાકિસ્તાનને શ્રેય આપતા કહ્યુ કે તેમણે ભારત કરતા સારૂ પ્રદર્શન કર્યુ હતુ.પાકિસ્તાને 5 વિકેટે મેચ જીતીટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન માટે શાદાબ ખાને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. આ મેચ અંતિમ ઓવર સુધી ગઇ હતી. જેમાં 182 રનના પડકારના જવાબમાં પાકિસ્તાને 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવીને મેચને જીતી લીધી હતી.