નવી દિલ્હી : સાઉથ આફ્રિકાની ટીમ 12 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારત પહોંચી છે. 16 સભ્યોની આફ્રિકન ટીમ સોમવારે (9 માર્ચ) જ રમવા માટે ધર્મશાળા રવાના થશે જ્યારે ભારતીય ટીમ મંગળવારે (10 માર્ચ) ધર્મશાળા પહોંચશે.
બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ભારતીય ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ આપશે. કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે, દક્ષિણ આફ્રિકાની ટીમની સાથે તેમના ચીફ મેડિકલ ઓફિસર ડો. શોએબ માંજરા પણ આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 39 કેસ નોંધાયા છે. સિરીઝની બીજી મેચ 15 માર્ચે લખનૌમાં અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતામાં રમાશે.
ટીમ ઇન્ડિયા
શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ.
ટીમ સાઉથ આફ્રિકા
ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, રેસી વેન ડર ડુસેન, ફાફ ડુ પ્લેસિસ, કાઈલ વેરીને, હેનરીક ક્લાસેન, ડેવિડ મિલર, જ્હોન-જ્હોન સ્મટ્સ, એંડિલ ફેહલુકવિયો, લુંગી એનગિડી, લુથુ સિપામલા, બ્યુરેન હેન્ડ્રિક્સ, એનરીક નોર્ટઝે, જોર્જ લિન્ડે અને કેશવ મહારાજ.