નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને નવી સીઝનની શરૂઆત પહેલા મોટો આંચકો લાગશે. ટીમ મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજી સંપૂર્ણ રીતે ફિટ નથી. જાડેજા ટીમમાં ક્યારે જોડાશે તે પણ સીએસકેને ખબર નથી.
સીએસકેના સીઈઓએ રવીન્દ્ર જાડેજાને લઈને એક અપડેટ બહાર પાડ્યું છે. સીઈઓ કહે છે કે, જાડેજા હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં છે અને તે સિવાય અમારી પાસે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું, “જ્યારે જાડેજા ટીમમાં કયારે જોડાશે, અમે તે વિશે કંઇ કહી શકીએ નહીં.” જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને ત્યાં તે તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાની યાત્રા દરમિયાન ઇજા થઈ હતી
તમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ઈજા થઈ હતી. જાડેજા પણ આ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને મર્યાદિત ઓવરની શ્રેણીમાં ભાગ લેવા અસમર્થ હતા. થોડા દિવસો પહેલા જાડેજાએ બેટિંગ અને બોલિંગની પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો હતો. જાડેજાએ એમ પણ લખ્યું છે કે તે ફરીથી બેટ પકડીને ખુશ છે.
આ વીડિયો પ્રકાશમાં આવ્યા બાદ જાડેજા ટૂંક સમયમાં સીએસકેમાં જોડાવાની યોજના બનાવી રહ્યો છે. ઓલરાઉન્ડર તરીકે, રવિન્દ્ર જાડેજા સીએસકે માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનશે. પરંતુ સીએસકેના સીઇઓ દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તે સૂચવે છે કે રવિન્દ્ર જાડેજાને આઈપીએલની પ્રારંભિક મેચમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે સીએસકેના મોટાભાગના ખેલાડીઓ આ સમયે મુંબઇ મા ટીમમાં સાથે જોડાયા છે.