નવી દિદલ્હી : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો કેપ્ટન વિરાટ કોહલી તેની નવી ટીમ તૈયાર થતાં ખૂબ જ ખુશ છે. 19 ડિસેમ્બરે યોજાયેલી આઈપીએલ હરાજીમાં ટીમ તેમની જરૂરિયાત મુજબ નવા ખેલાડીઓ ખરીદવામાં સફળ રહી, જેનાથી કોહલી સંતુષ્ટ છે.
નવા ખેલાડીઓની ભરતી અંગે કોહલીએ કહ્યું, ‘અમે જે ખેલાડીઓની પસંદગી કરી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું અને તેમની સાથે કામ કરવા તૈયાર છું. અમે ટીમના બંધારણ અને સંતુલન વિશે ઘણી ચર્ચા કરી અને તે સારી ટીમ હોય તેવું લાગે છે.
કોહલીએ કહ્યું, “મારું માનવું છે કે તે લીગના ખેલાડીઓ વ્યક્તિગત રીતે કેવી રીતે પ્રદર્શન કરે છે તેના પર પણ મોટા પ્રમાણમાં નિર્ભર છે.”
તે જ સમયે, ક્રિકેટના ઓપરેશનના નિર્દેશક માઇક હેસને કહ્યું, “હરાજીમાં જવાની અમારી વ્યૂહરચના એટલી હતી કે, અમે ખેલાડીઓને અમારા સંયોજન પ્રમાણે જોઈએ અને અમારી ટીમને જાળવી રાખવામાં સફળ થઈએ.”
માઇક હેસને કહ્યું, “અમને એવી ટીમની ઇચ્છા હતી જે સંતુલન હોય અને તે કોઈપણ પરિસ્થિતિમાં અનુકૂળ થાય, પછી ભલે તે ઘરે હોય કે બહાર.”
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)
વિરાટ કોહલી 17.00 કરોડ, એબી ડી વિલિયર્સ 11.00 કરોડ, ગુરકિરત સિંહ 50 લાખ, દેવદત્ત પદિકલ 20 લાખ, શિવમ દુબે 5.00 કરોડ, પવન નેગી 1.00 કરોડ, મોઈન અલી 1.70 કરોડ, વોશિંગ્ટન સુંદર 3.20 કરોડ, પાર્થિવ પટેલ 1.70 કરોડ, યુઝવેન્દ્ર ચહલ 6.00 કરોડ, મોહમ્મદ સિરાજ 2.60 કરોડ, ઉમેશ યાદવ 4.20 કરોડ, નવદીપ સૈની 3.00 કરોડમાં ખરીદાયા છે
હરાજીમાં ખરીદવામાં આવેલા ખેલાડીઓ: ક્રિસ મોરિસ 10 કરોડ, એરોન ફિંચ 4.4 કરોડ, ડેલ સ્ટેન 2 કરોડ, કેન રિચાર્ડસન 1.5 કરોડ, ઇસુરુ ઉદાના 50 કરોડ, જોશુઆ ફિલિપ 20 લાખ, પવન દેશપાંડે 20 લાખ.