BCCI:ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની 26 ફેબ્રુઆરીએ લંડનમાં પગની ઘૂંટીની સર્જરી કરવામાં આવી હતી. તે લાંબા સમયથી આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો. વાસ્તવમાં, મોહમ્મદ શમીને જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે, સર્જરીના ત્રણ દિવસ બાદ એટલે કે 29મી ફેબ્રુઆરીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રિલીઝ દ્વારા મોહમ્મદ શમીની રિકવરી અંગે મોટું અપડેટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ભારતીય ટીમની બહાર છે.
BCCIએ એક મોટું અપડેટ આપ્યું છે
મોહમ્મદ શમીની રિકવરી પર બીસીસીઆઈએ કહ્યું કે 26 ફેબ્રુઆરીએ તેની પગની ઘૂંટીની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. તે ઈજામાંથી ઘણો સારો સ્વસ્થ થઈ રહ્યો છે. પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ શમીના સ્વસ્થ થયા બાદ તેને ટૂંક સમયમાં જ નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરુ મોકલવામાં આવશે. જ્યાં તેના પુનર્વસનની પ્રક્રિયા શરૂ થશે. એવી અટકળો છે કે BCCI ટી20 વર્લ્ડ કપ 2024 માટે મોહમ્મદ શમી પર પણ વિચાર કરી રહ્યું છે. તેણે ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર
પગની સર્જરી બાદ મોહમ્મદ શમી પણ IPLમાંથી બહાર છે. શમી IPLમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે અને તેના લીગમાંથી બહાર થયા બાદ ગુજરાત ટાઇટન્સને સૌથી મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સે 2022માં મોહમ્મદ શમીને રૂ. 6.25 કરોડમાં સામેલ કર્યો હતો. જે બાદ તેણે આ ટીમ માટે 2022 અને 2023 સહિત 33 મેચ રમી છે. જેમાં તેણે 48 વિકેટ લીધી છે.
મોહમ્મદ શમી 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. તેણે 17 મેચમાં 28 વિકેટ લીધી હતી. હવે સમગ્ર IPLમાંથી તેની ગેરહાજરી બાદ ગુજરાત ટાઇટન્સને સૌથી મોટો ફટકો પડ્યો છે. શમીના આઉટ થવાથી ગુજરાતની બોલિંગ થોડી નબળી દેખાઈ રહી છે અને રાશિદ ખાનની રમતને લઈને સસ્પેન્સ છે કારણ કે રાશિદ ખાન પણ લાંબા સમયથી ઈજાથી પીડાઈ રહ્યો છે.