મુંબઈઃ આઈપીએલ એ હવે દરેક ક્રિકેટ ચાહકો માટે પ્રિય બની ગઈ છે. સાથે સાથે મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે પણ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. ઇન્ડીયન પ્રિમિયર લીગની 14 મી સિઝનને લઇને તૈયારીઓ શરુ થઇ ચુકી છે. માનવામાં આવી રહ્યુ છે કે, BCCIની તરફ થી ખૂબ જ જલ્દી થી ટુર્નામેન્ટને લઇને શિડ્યુલ ની ઘોષણાં કરવામા આવી શકે છે. તો વળી ચેન્નાઇ સુપર કિંગ્સ ના ફેંસ માટે આ દરમ્યાન જ એક ખુશખબર સામે આવી છે. ચેન્નાઇ ની ટીમ 11 માર્ચ થી પોતાનો પ્રેકટીશ કેમ્પ શરુ કરી દેશે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ શરુઆત થી જ પ્રેકટીશમાં જોડાઇ જશે.
હાલમાં જ મહેન્દ્રસિંહ ધોની રાંચી સ્થિત અષ્ટભુજા દેવીના દર્શન કરવા માટે મંદિર પર પહોંચ્યો હતો. હવે તે પોતાની ફેન્ચાઇઝી ટીમ સાથે જોડાઇ જવાના સમાચાર સામે આવ્યા છે. ઇનસાઇડ સ્પોર્ટસ સાથે વાતચીત કરતા ચેન્નાઇ સુપર કિંગ્સના એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે, ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રેકટીશન કેમ્પના પ્રથમ દિવસ થી જ ટીમની સાથે જોડાઇ જશે. ખેલાડીઓની ઉપસ્થિતીને લઇને અમારા ચિંતાનો કોઇ વિષય નહી હોવાનુ કહ્યુ હતુ. આશા છે કે, તમામ ખેલાડીઓ કોવિડ-19 પ્રોટોકોલને ફોલો કરશે. તમામ ખેલાડીઓએ આ માટે કોરોના પરિક્ષણ કરવુ પણ અનિવાર્ય છે.
યુએઇમાં ગત વર્ષે રમાયેલ ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન ખૂબ જ શાનદાર નહોતુ રહ્યુ. ચેન્નાઇ ની ટીમ આઇપીએલ ના ઇતિહાસમાં પ્રથમ વાર પ્લેઓફ માટે ક્વોલીફાઇ થઇ શકી નહોતી. આ વખતે પણ ટીમમાં અનેક મોટા પરિવર્તન કર્યા છે.